UP election 2022: યોગી આદીત્યનાથે ગોરખપુરથી ઉમેદવારી નોંધાવી, ગૃહ મંત્રી અમિત શાહ રહ્યાં હાજર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. સીએમ યોગીએ આજે ત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. સીએમ યોગીએ આજે તેમના ગઢ ગોરખપુર સદરમાંથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા પહેલા સીએમ યોગીએ ગોરખધામ મંદિરમાં પૂજા કરી હતી. નામાંકન ભર્યા બાદ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગૃહમંત્રી અમિત શાહે ગોરખનાથ મંદિર પહોંચીને પૂજા અર્ચના કરી હતી. ભાજપે ગોરખપુર સદર સીટ પરથી સીએમ યોગીને ઉમેદવાર બનાવ્યા છે.
સીએમ યોગીના આ ચાર સમર્થકો
સુરેન્દ્ર કુમાર અગ્રવાલ સીએમ યોગી આદિત્યનાથના ચાર સમર્થકોમાંથી એક છે. સુરેન્દ્રએ IIT રૂરકીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે. બીજા છે મયંકેશ્વર પાંડે, ગોરખપુરના પ્રખ્યાત શિક્ષણવિદ, જેઓ મહાત્મા ગાંધી ઇન્ટર કોલેજના મેનેજર પણ છે. આ ઉપરાંત ડૉ.કમલેશ શ્રીવાસ્તવ અને વિશ્વનાથ પ્રસાદ છે. ડૉ. કમલેશ વ્યવસાયે ગોરખપુરના જાણીતા ડૉક્ટર છે. વિશ્વનાથ પ્રસાદ રૈદાસ મંદિરના અધ્યક્ષ છે.
ભાજપ રાજ્યમાં 300થી વધુના ઠરાવ સાથે આગળ વધી રહ્યું છે: શાહ
સીએમ યોગીના નામાંકન પહેલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગોરખપુરના મહારાણા પ્રતાપ ઇન્ટર કોલેજમાં આયોજિત જાહેર સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે 2014, 2017 અને 2019ની ત્રણેય ચૂંટણીઓમાં રાજ્યની જનતાએ મોદીજીના નેતૃત્વમાં યુપીના વિકાસનો માર્ગ તૈયાર કર્યો અને પ્રચંડ બહુમતી આપી. આજે, યોગીજીના નામાંકન ભરવાની સાથે, ફરી એકવાર ભાજપ અહીંથી 300 થી વધુના ઠરાવ સાથે રાજ્યમાં આગળ વધી રહ્યું છે.
#WATCH | Accompanied by Union Home Minister Amit Shah, Uttar Pradesh CM Yogi Adityanath files nomination papers as a BJP candidate from Gorakhpur Urban Assembly constituency pic.twitter.com/BYzpDtVmlS
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 4, 2022