યુપી સરકારે ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલ્યુ, હવે આ નામે ઓળખાશે!
બુધવારે મુખ્ય સચિવ નીતિન રમેશ ગોકર્ણે ગૃહ મંત્રાલયના પત્ર સાથે સહમત થતા ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન કરવાનો આદેશ જારી કર્યો છે.
ઝાંસી : બુધવારે મુખ્ય સચિવ નીતિન રમેશ ગોકર્ણે ગૃહ મંત્રાલયના પત્ર સાથે સહમત થતા ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન કરવાનો આદેશ જારી કર્યો છે. આ અંગે રેલવેના જનસંપર્ક અધિકારી મનોજ કુમાર સિંહે જણાવ્યું કે, રેલવે મંત્રાલય તરફથી આદેશ મળતા જ સ્ટેશનનું નામ બદલવાની વિભાગીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઝાંસી રેલવે સ્ટેશનનું નામ હવે વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન હશે. બુધવારે ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ સાથે સહમત થતાં રાજ્ય સરકારે સ્ટેશનનું નામ બદલવાની સૂચના બહાર પાડી છે. હવે રેલવે મંત્રાલય તરફથી આદેશ મળતાની સાથે જ ડિવિઝનલ રેલવે એડમિનિસ્ટ્રેશન નામ બદલવાની વિભાગીય પ્રક્રિયા શરૂ કરશે. સ્ટેશન કોડ પણ બદલાશે.
ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રાખવાની લાંબા સમયથી માંગ હતી. બુંદેલખંડની જનતાની માંગ પર જનપ્રતિનિધિઓ વતી તેનો પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો હતો. 3 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આ માહિતી આપી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે સંબંધિત એજન્સીઓની ટિપ્પણીઓ અને મંતવ્યો આમંત્રિત કર્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી 24 નવેમ્બર 2021 ના રોજ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને નામ બદલવા માટે પત્ર લખ્યો હતો.
સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને આઝાદી સુધીના સાક્ષી એવા ઝાંસી રેલવે સ્ટેશનને 1 જાન્યુઆરીએ તેના 133 વર્ષ પૂર્ણ થશે. તેનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી 1889ના રોજ થયું હતું. તેની સ્થાપના ગ્રેટ ઈન્ડિયન પેનિન્સ્યુલર રેલ્વે દ્વારા કરવામાં આવી હતી. શરૃઆતમાં માત્ર થોડી જ ટ્રેનો સ્ટીમ એન્જીન પર ચાલતી હતી, આજે આ સ્ટેશન દેશના મુખ્ય સ્ટેશનોમાંનું એક છે. અહીંથી દરરોજ 250 થી વધુ ટ્રેનો પસાર થાય છે. જેમાં શતાબ્દી એક્સપ્રેસ, ગતિમાન અને રાજધાની એક્સપ્રેસ જેવી વીઆઈપી ટ્રેનોનો સમાવેશ થાય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ











Click it and Unblock the Notifications
