ગુંડાતત્વ છે મુલાયમસિંહ, આતંકવાદીઓ સાથે છે સંબંધ: બેનીપ્રસાદ

ગોંડામાં એક જનસભાને સંબોધી રહેલા બેનીપ્રસાદે મુલાયમસિંહ પર પ્રહારો કરતા જણાવ્યું કે 'જેટલું હું તમારા અંગે જાણું છું એટલું કોઇ નહીં જાણતું હોય. કમિશન ખાઓ અને પોતાના પરિવારને પણ ખવડાવો, પરંતુ બેની પ્રસાદ વર્મા એવું નહીં કરે. મુલાયમ સિંહ! તમે હંમેશા તમારા વિરોધીઓને દુશ્મનોની જેમ લીધા છે.' ત્યારબાદ તેમણે જણાવ્યું કે અપરાધ અને છેતરપીંડી તમારો ધંધો છે. મુલાયમસિંહ પ્રદેશ માટે શાપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે બેની પ્રસાદ અને મુલાયમસિંહ યાદવ એકબીજાની ખાસા નજીક હતા.
બોલતા-બોલતા બેની પ્રસાદ વર્માએ બસપા સુપ્રીમો સાયાવતી પર પણ હુમલો કરી દીધો. બેની પ્રસાદે જણાવ્યું કે 'માયાવતી લૂંટેરી હતી, પરંતુ આ લૂંટેરો અને ગુંડો બંને છે. કેવી રીતે બચાવશો તમારા પ્રદેશને?' જે વખતે બેની પ્રસાદ વર્મા આ બધું કહી રહ્યા હતા, અત્રે ઉપસ્થિત જનતા હંસતા હસતા તાળીઓથી તેમને વધાવી રહી હતી.
બેની પ્રસાદે છેલ્લે છેલ્લે હદ પાર કરતા જણાવ્યું કે 'મુલાયમસિંહ યાદવના ત્રાસવાદીઓ સાથે સંબંધો છે. મને મરાવશો તો 100 બેની પ્રસાદ પેદા થઇ જશે.' જોકે મુલાયમસિંહ બેની પ્રસાદના આરોપોના શું જવાબ આપે છે એ હવે જોવાનું રહ્યું. બેનીપ્રસાદે આ પહેલા પણ ઘણા નેતાઓ પર આવી તીખી ટીપ્પણી કરી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
