Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુંડાતત્વ છે મુલાયમસિંહ, આતંકવાદીઓ સાથે છે સંબંધ: બેનીપ્રસાદ

beni prasada
ગોંડા, 17 જાન્યુઆરી: પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેનાર પોલાદ મંત્રી બની પ્રસાદ વર્માએ એકવાર ફરી વિવાદીત નિવેદન આપી દીધું છે. આ વખતે બેની પ્રસાદે સપાના મુખિયા મુલાયમ સિંહને નિશાના પર લીધા છે. બેની પ્રસાદ વર્માએ બધી જ મર્યાદાઓ વટાવતા જણાવ્યું કે મુલાયમસિંહ યાદવ ન માત્ર ગુંડો છે પરંતુ તેમનો સંબંધ આતંકવાદીઓ સાથે પણ છે.

ગોંડામાં એક જનસભાને સંબોધી રહેલા બેનીપ્રસાદે મુલાયમસિંહ પર પ્રહારો કરતા જણાવ્યું કે 'જેટલું હું તમારા અંગે જાણું છું એટલું કોઇ નહીં જાણતું હોય. કમિશન ખાઓ અને પોતાના પરિવારને પણ ખવડાવો, પરંતુ બેની પ્રસાદ વર્મા એવું નહીં કરે. મુલાયમ સિંહ! તમે હંમેશા તમારા વિરોધીઓને દુશ્મનોની જેમ લીધા છે.' ત્યારબાદ તેમણે જણાવ્યું કે અપરાધ અને છેતરપીંડી તમારો ધંધો છે. મુલાયમસિંહ પ્રદેશ માટે શાપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે બેની પ્રસાદ અને મુલાયમસિંહ યાદવ એકબીજાની ખાસા નજીક હતા.

બોલતા-બોલતા બેની પ્રસાદ વર્માએ બસપા સુપ્રીમો સાયાવતી પર પણ હુમલો કરી દીધો. બેની પ્રસાદે જણાવ્યું કે 'માયાવતી લૂંટેરી હતી, પરંતુ આ લૂંટેરો અને ગુંડો બંને છે. કેવી રીતે બચાવશો તમારા પ્રદેશને?' જે વખતે બેની પ્રસાદ વર્મા આ બધું કહી રહ્યા હતા, અત્રે ઉપસ્થિત જનતા હંસતા હસતા તાળીઓથી તેમને વધાવી રહી હતી.

બેની પ્રસાદે છેલ્લે છેલ્લે હદ પાર કરતા જણાવ્યું કે 'મુલાયમસિંહ યાદવના ત્રાસવાદીઓ સાથે સંબંધો છે. મને મરાવશો તો 100 બેની પ્રસાદ પેદા થઇ જશે.' જોકે મુલાયમસિંહ બેની પ્રસાદના આરોપોના શું જવાબ આપે છે એ હવે જોવાનું રહ્યું. બેનીપ્રસાદે આ પહેલા પણ ઘણા નેતાઓ પર આવી તીખી ટીપ્પણી કરી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X