For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુંડાતત્વ છે મુલાયમસિંહ, આતંકવાદીઓ સાથે છે સંબંધ: બેનીપ્રસાદ

|
Google Oneindia Gujarati News

beni prasada
ગોંડા, 17 જાન્યુઆરી: પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેનાર પોલાદ મંત્રી બની પ્રસાદ વર્માએ એકવાર ફરી વિવાદીત નિવેદન આપી દીધું છે. આ વખતે બેની પ્રસાદે સપાના મુખિયા મુલાયમ સિંહને નિશાના પર લીધા છે. બેની પ્રસાદ વર્માએ બધી જ મર્યાદાઓ વટાવતા જણાવ્યું કે મુલાયમસિંહ યાદવ ન માત્ર ગુંડો છે પરંતુ તેમનો સંબંધ આતંકવાદીઓ સાથે પણ છે.

ગોંડામાં એક જનસભાને સંબોધી રહેલા બેનીપ્રસાદે મુલાયમસિંહ પર પ્રહારો કરતા જણાવ્યું કે 'જેટલું હું તમારા અંગે જાણું છું એટલું કોઇ નહીં જાણતું હોય. કમિશન ખાઓ અને પોતાના પરિવારને પણ ખવડાવો, પરંતુ બેની પ્રસાદ વર્મા એવું નહીં કરે. મુલાયમ સિંહ! તમે હંમેશા તમારા વિરોધીઓને દુશ્મનોની જેમ લીધા છે.' ત્યારબાદ તેમણે જણાવ્યું કે અપરાધ અને છેતરપીંડી તમારો ધંધો છે. મુલાયમસિંહ પ્રદેશ માટે શાપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે બેની પ્રસાદ અને મુલાયમસિંહ યાદવ એકબીજાની ખાસા નજીક હતા.

બોલતા-બોલતા બેની પ્રસાદ વર્માએ બસપા સુપ્રીમો સાયાવતી પર પણ હુમલો કરી દીધો. બેની પ્રસાદે જણાવ્યું કે 'માયાવતી લૂંટેરી હતી, પરંતુ આ લૂંટેરો અને ગુંડો બંને છે. કેવી રીતે બચાવશો તમારા પ્રદેશને?' જે વખતે બેની પ્રસાદ વર્મા આ બધું કહી રહ્યા હતા, અત્રે ઉપસ્થિત જનતા હંસતા હસતા તાળીઓથી તેમને વધાવી રહી હતી.

બેની પ્રસાદે છેલ્લે છેલ્લે હદ પાર કરતા જણાવ્યું કે 'મુલાયમસિંહ યાદવના ત્રાસવાદીઓ સાથે સંબંધો છે. મને મરાવશો તો 100 બેની પ્રસાદ પેદા થઇ જશે.' જોકે મુલાયમસિંહ બેની પ્રસાદના આરોપોના શું જવાબ આપે છે એ હવે જોવાનું રહ્યું. બેનીપ્રસાદે આ પહેલા પણ ઘણા નેતાઓ પર આવી તીખી ટીપ્પણી કરી ચૂક્યા છે.

English summary
Mulayamsingh is antisocial element said beniprasadh verma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X