યુપી નેમ પ્લેટ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સોમવારે સૂનાવણી થશે
કાવડ યાત્રાના રૂટ પરની દુકાનો બહાર નેમ પ્લેટ લગાડવાના યોગી સરકારના ફતવાના વિરોધ વચ્ચે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.
કાવડ યાત્રાના માર્ગો પર હોટેલો, ઢાબાઓ અને તમામ દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાનો મામલો વિવાદે ચડ્યો છે. હવેસુપ્રીમ કોર્ટ આ મામલે સોમવારે સુનાવણી કરશે.

એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ નામની એનજીઓએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
અરજીમાં ઉત્તર પ્રદેશ સરકારના આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી 20 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે ઓનલાઈન દાખલ કરવામાં આવી છે.
કાવડ યાત્રા નેમપ્લેટ વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ 22 જુલાઈએ કરશે.
ઉત્તર પ્રદેશ સરકારે 22 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રા માટે અનેક ઘણી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે રાજ્યભરના કાવડ યાત્રાના માર્ગો પર ખાદ્ય અને પીણાની દુકાનો પર ઓપરેટર/માલિકનું નામ અને ઓળખ પ્રદર્શિત કરવામાં આવે જેથી કરીને યાત્રાળુઓની આસ્થાની પવિત્રતા જળવાઈ રહે.
સરકારે કહ્યું છે કે આ આદેશનો હેતુ કોઈ પણ પ્રકારનો ધાર્મિક ભેદભાવ ઉભો કરવાનો નથી પરંતુ તે માત્ર ભક્તોની સુવિધા માટે છે.












Click it and Unblock the Notifications
