UP: સોનૌલી અને કુશીનગર રોડ પર 6 હજાર એકરમાં વસશે નવુ ગોરખપુર, મળશે આ સુવિધાઓ
ગોરખપુર પ્રાધિકરણે સોનૌલી અને કુશીનગર રોડ પર 6 હજાર એકરમાં નવુ ગોરખપુર વસાવવાની તૈયારી શરુ કરી દીધી છે.
Gorakhpur News: ગોરખપુર પ્રાધિકરણે નવુ ગોરખપુર વસાવવાની તૈયારી શરુ કરી દીધી છે. આના માટે ગોરખપુર-સોનૌલી તેમજ ગોરખપુર-કુશીનગર માર્ગના 60 ગામોને ચિહ્નિત કરીને સર્વેનુ કામ શરુ કરવામાં આવ્યુ છે. આનો પ્રસ્તાવ શાસને પહેલા જ મોકલવામાં આવી ચૂક્યો છે. નવા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમને પણ અહીં જ બનાવવાનો પ્રસ્તાવ છે.

60 ગામોને ચિહ્નિત કરાયા
જિલ્લાધિકારી કૃષ્ણા કરુણેશે કહ્યુ કે નવુ ગોરખપુર વસાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આના માટે 60 ગામોને ચિહ્નિત કરવામાં આવ્યા છે. ગામોના સર્વે માટે મહેસૂલ વિભાગની ટીમ ખેડૂતો સાથે વાતચીત કરી રહી છે. અધિગ્રહણની રકમ મળતા જ અધિગ્રહણ શરુ કરી દેવામાં આવશે.
આજે બજેટમાં મળી શકે છે જમીન અધિગ્રહણ માટે રકમ
નવુ ગોરખપુર વસાવવા માટે બુધવારે રજૂ થનારા બજેટમાં જમીન અધિગ્રહણ માટે રકમ મળી શકે છે.
ફોરલેન પાસેના ગામોને પ્રાથમિકતા
આમાં બરગદવાં રોડના અમુક ગામો સાથે જ ગોરખપુર-ટિકરિયા-મહરાજગંજ માર્ગ પર લગભગ 25 ગામ તેમજ પિપરાઈચ-કુસમ્હી ક્ષેત્રના 35 ગામો સામેલ છે. ગોરખપુર-ટિકરિયાગંજ-મહારાજગંજ માર્ગના અમુક ગામોની સૂચિલેખપલને આપી દેવામાં આવી છે. મોટાભાગના ગામ જંગલ કોડિયા તેમજ જગદીશપુર ફોરલેન આસપાસ હશે.
મળશે આ સુવિધાઓ
જીડીએના જણાવ્યા મુજબ નવા ગોરખપુરમાં દરેક પ્રકારની સુવિધાઓ મળશે. અહીં એક અત્યાધુનિક ટાઉનશિપ વિકસિત કરવાની છે. આ સાથે જ શહેર સાથે જોડીને તેને વિકસિત કરવાનુ છે. આ નવા ગોરખપુરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પણ સામેલ છે.












Click it and Unblock the Notifications
