UP News : CM યોગીને મળ્યો ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ, પૂર્વ રાષ્ટ્રપતિએ કહી આ વાત
UP News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારતરત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે મુંબઇના શ્રી રામનાથ કોંવિદે મુંબઇના શ્રી ષણમુખાનંદ ઓડિટોરિયમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારતરત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે.
યોગી આદિત્યનાથનો આ એવોર્ડ લખનઉથી ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય ડૉ, લાલજી પ્રસાદ નિર્મળે દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

બુધંજલિ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા ભારતના પૂર્વ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ગુંડાગીરી ખતમ કરીને રાજ્યને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે. બીજી તરફ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથ અમારા મિત્ર છે અને ઉત્તર પ્રદેશના ગુંડાઓ, માફિયાઓ આજે તેમના નામથી ધ્રૂજી રહ્યા છે.
ડૉ. લાલજી પ્રસાદ નિર્મળે જણાવ્યું હતું કે, યોગીજીએ ઉત્તર પ્રદેશના સરકારી વિભાગોમાં ડૉ. આંબેડકરનો ફોટો લગાવવાનો આદેશ આપીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. લખનઉમાં ડૉ. આંબેડકર મેમોરિયલ એન્ડ કલ્ચરલ સેન્ટર બનાવીને યોગી આદિત્યનાથે માઈ સાહેબ ડૉ. સવિતા આંબેડકરના સપના સાકાર કર્યા છે. યોગી આદિત્યનાથ આજે દલિત લોકોના મસીહા બની ગયા છે.
બુદ્ધાંજલિ ફાઉન્ડેશનના પ્રમુખ અને કાર્યક્રમના આયોજક કૈલાશ માસૂમે જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથને ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કાર આપવામાં અમને ગર્વ છે. યોગી સરકાર દલિતો, પછાત અને વંચિતોના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. યોગી આદિત્યનાથ બધાને સાથે લઈને ચાલી રહ્યા છે.
આ પ્રસંગે ફિલ્મ કલાકારો પ્રેમ ચોપરા, ઉદિત નારાયણ અને રાજપાલ યાદવ અને દેશના અન્ય ક્ષેત્રોની પ્રતિભાઓને પણ 13મા ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?










Click it and Unblock the Notifications
