ખુર્શીદે મોદીને કહ્યા 'નપુંસક', 'તમે હત્યારાઓને રોકી ન શક્યા'
ફરૂખાબાદ, 26 ફેબ્રુઆરી: કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદે નરેન્દ્ર મોદીને 'નપુંસક' કહ્યા અને ભાજપે તેમની આ ટિપ્પણીની આકરી નિંદા કરી. વડાપ્રધાનના પદ માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિદેશ મંત્રીની આ નવી ટિપ્પણી વર્ષ 2002ના ગોધરા કાંડ બાદ ફાટી નિકળેલા રમખાણો સામે મુખ્યમંત્રીની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતાં આ પ્રકારની ટિપ્પણી કરી હતી. સલમાન ખુર્શીદે પહેલાં એકવાર નરેન્દ્ર મોદીની તુલના દેડકા સાથે કરી હતી જે હજુ સુધી કુવામાંથી બહાર આવ્યો નથી.
નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના ફરૂખાબાદથી સાંસદ સલમાન ખુર્શીદે સવાલિયા અંદાજમાં કહ્યું હતું કે દેશના વડાપ્રધાન પદની આકાંક્ષા રાખનાર એક વ્યક્તિ 2002ના રમખાણો દરમિયાન કંઇ કરી ન શક્યો.
સલમાન ખુર્શીદે કહ્યું હતું કે ભાજપ નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી ક્લિન ચિટ મળી હોવાનો આધારહિન પ્રચાર કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સત્ય તો એ છે કે એક મેજિસ્ટ્રેટે એક કેસની તપાસમાં સબૂતોના અભાવને ધ્યાનમાં રાખતા નરેન્દ્ર મોદીની સંલિપ્તતા નહી હોવાની વાત કહી છે. એનો અર્થ એ નથી કે નરેન્દ્ર મોદીના દામન પરથી રમખાણોના દાગ ધોવાય ગયા છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે 'હુલ્લડખોરોએ રેલવેના ડબ્બામાં આગ ચાંપી, તે સમયે રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા. ત્યારબાદ જે રમખાણો ભડક્યા અને નિર્દોષ લોકોના જીવ ગયા, તે સમયે કોના કાર્યકાળમાં ગયા. જે વ્યક્તિ સત્તા અને શાસનમાં રહીને રમખાણો પર અંકુશ ન લગાવી શકે તે વડાપ્રધાનની ખુરશી પર બેસીને દેશની સુરક્ષા કેવી રીતે કરી શકશે.'
વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે 'કેટલાક લોકો આવે છે, હુમલા કરે છે અને જતા રહે છે અને તમે રક્ષા કરી શકતા નથી. તમે એક મજબૂત વ્યક્તિ છો?' તેમણે કહ્યું હતું કે 'અમે તમને (મોદી) લોકોની હત્યાના આરોપી કહેતા નથી, અમારો આરોપ છે કે તમે નપુંસક છો. તમે હત્યારાઓને રોકી ન શક્યા.'
નરેન્દ્ર મોદીના ખાસ સહયોગી અને ગુજરાતના મંત્રી જય નારાયણ વ્યાસે કહ્યું હતું કે સલમાન ખુર્શીદની 'અભદ્ર ટિપ્પણી' લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓની 'હતાશા'ને દર્શાવે છે. ભાજપના નેતા સધાંશુ મિત્તલે કહ્યું હતું કે તે નિરાશ છે આ પ્રકારની ભાષાનો ઉપયોગ તે લોકો દ્વારા કરવામાં આવે છે જે પોતાને ભણેલા ગણેલા કહે છે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
