અટકળો પર ઉપેન્દ્ર કુશવાહાએ લગાવ્યુ વિરામ, એનડીએની બેઠકમાં નહિ થાય શામેલ
તમામ અટકળો પર વિરામ લગાતા કુશવાહાએ કહ્યુ કે તે આજે યોજાનારી એનડીએના સહયોગી દળોની બેઠકમાં ભાગ નહિ લે.
સંસદના શિયાળુ સત્ર પહેલા જે રીતે એનડીએના તમામ દળોની બેઠક થવાની હતી તેમાં કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ઉપેન્દ્ર સિંહ કુશવાહા શામેલ થઈ શકે છે. પરંતુ આ તમામ અટકળો પર કુશવાહાએ વિરામ લગાવી દીધુ છે. કુશવાહાએ કહ્યુ કે તે આજે યોજાનારી એનડીએના સહયોગી દળોની બેઠકમાં ભાગ નહિ લે. ઉલ્લેખનીય છે કે કુશવાહાને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ કુશવાહાએ આ બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે કુશવાહાએ ભાજપ પર રામ મંદિર અંગે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જ્યારે ચૂંટણી આવે છે તો રામ મંદિરનો મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી. આવુ એટલા માટે કરવામાં આવી રહ્યુ છે કે જેથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય. ચૂંટણી પહેલા એ વાત પર ચર્ચા થવી જોઈએ કે આપણે કેટલા લોકોને રોજગાર આપ્યુ, બેરોજગીને ખતમ કરવા માટે શું કર્યુ, ગરીબી દૂર કરવા માટે શું કર્યુ, પરંતુ આ બધાથી પરે રામ મંદિર નિર્માણની વાત કરવામાં આવી રહી છે.
મહત્વની વાત એ છે કે કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક સમતા પાર્ટીની અંદરના નેતાઓ વચ્ચે એકમત નથી. પાર્ટીની અંદર જ નેતા કુશવાહાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને તે ભાજપ અન જદયુ નેતાઓના સંપર્કમાં છે. જહાનાબાદથી બાગી રાલોસપા સાંસદ અરુણ કુમારે કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં તે ભાજપનું સમર્થન કરશે. તેમણે કહ્યુ કે મે કુશવાહાજી સાથે પોતાના રસ્તો અલગ કરી લીધો છે અને હવે મારુ અલગ જૂથ છે. મને એનડીએ તરફથી બેઠકમાં શામેલ થવા માટે આમંત્રણ આપવામાં નથી આવ્યુ પરંતુ એનડીએ છોડવાની મારી કોઈ યોજના નથી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
