ટ્વિટર પર ફોલોઅર્સમાં અચાનક ઘટાડો થઈ રહ્યો હોવાની યુઝર્સની ફરિયાદ!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુરુવારે અચાનક હલચલ મચી ગઈ જ્યારે યુઝર્સે તેમના ફોલોઅર્સ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું.
નવી દિલ્હી, 02 ડિસેમ્બર : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુરુવારે અચાનક હલચલ મચી ગઈ જ્યારે યુઝર્સે તેમના ફોલોઅર્સ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. શું તમારા એકાઉન્ટ પર ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થયો છે? જો એમ હોય તો ચિંતા કરશો નહીં, તમે એકલા નથી. ભારતમાં ઘણા ટ્વિટર યુઝર્સે ગુરુવારે મોડી રાત્રે પ્લેટફોર્મ પર તેમના ફોલોઅર્સની સંખ્યામાં અચાનક ઘટાડો થવા વિશે ટ્વિટ કર્યા છે. લોકો પરાગ અગ્રવાલને ટેગ કરીને ટ્વિટરના CEOને ટ્વીટ કરી રહ્યા છે.
ગુરુવારે લાખો ટ્વિટર યુઝર્સે અચાનક ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થવાની ફરિયાદ કરી છે. ટ્વિટરે ઘણા વેરિફાઇડ યુઝર્સ પાસેથી બ્લુ ટિક પણ પાછા લીધા છે. ટ્વિટર પર અચાનક આ ફેરફારથી યુઝર્સ પરેશાન થઈ ગયા છે. લોકો ટ્વિટર હેલ્પ ડેસ્ક અને સીઈઓ પરાગ અગ્રવાલને ટેગ કરીને ફરિયાદ કરી રહ્યા છે. ફોલોઅર્સની સંખ્યા ઘટવાને કારણે લોકો પરેશાન છે. એવું માનવામાં આવે છે કે ટ્વિટરે ફેક એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે. જેના કારણે ફોલોઅર્સ ઘટી ગયા છે.
ટ્વિટરે 1 ડિસેમ્બરના રોજ વ્યક્તિગત માહિતી સુરક્ષા નીતિ અપડેટ કરી છે. આ પછી ગુરુવારે (2 નવેમ્બર) અચાનક લાખો ટ્વિટર વપરાશકર્તાઓએ ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થવાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું. ટ્વિટરે તેની અંગત માહિતી સુરક્ષા નીતિ અપડેટ કરી છે. આનાથી અન્ય કોઈને તેમની સંમતિ વિના ખાનગી વ્યક્તિઓના ફોટા અથવા વીડિયો શેર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
હજુ સુધી ટ્વિટર તરફથી એ સ્પષ્ટ નથી થયું કે ફોલોઅર્સની સંખ્યામાં અચાનક ઘટાડો થવાનું કારણ શું છે? લોકોએ ટ્વિટર હેલ્પ ડેસ્ક અને સીઈઓ પરાગ અગ્રવાલને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી છે.