યુપી : જૌનપુર ખાતે જીપ પલટી, 12ના મોત

પોલીસના જણાવ્યા મુજબ 14 લોકોથી ભરેલી જીપ વારાણસીથી અંતિમ સંસ્કાર કરી પાછી ફરી રહી હતી. જૌનપુરના જલાલપુર પાસે જીપનું ટાયર અચાનક પંચર થઈ ગયું અને જીપ અસંતુલિત થઈ પલટીઓ ખાતી પુલ ઉપરથી નીચે પડી ગઈ. આસપાસના લોકોની મદદથી જીપને બહાર તો કાઢવામાં આવી, પરંતુ ત્યાં સુધી 11 જણાના મોત થઈ ચુક્યા હતાં.
અકસ્માતમાં ત્રણ જણા ગંભીર રીતે ઘવાયાં કે જેમને નજીકની હૉસ્પિટલે લઈ જવાયાં. ત્યાં એક ઈજાગ્રસ્તે દમ તોડી નાંખ્યો. બાકીના બે ઈજાગ્રસ્તોને વારાણસી ખાતેની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. જૌનપુર જિલ્લા અધિકારીએ આ અકસ્તમાના ભોગ બનેલાઓ માટે વળતરની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી રાહત કોષ તરફથી મતકોના પરિજનોને 2-2 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રુપિયા આપવાની જાહેરાત કરાઈ છે.












Click it and Unblock the Notifications
