Dalit Atrocity : દલિત અત્યાચારમાં સજા આપવામાં ઉત્તર પ્રદેશ મોખરે, માત્ર આટલા ટકા કેસમાં જ થઇ સજા

Dalit Atrocity : કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના સાંસદ ગિરીશ મિશ્રા દ્વારા દેશમાં દલિતો પરના અત્યાચાર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

Dalit Atrocity : સમગ્ર દેશમાં ચાર વર્ષ 2018-2021માં દલિત સામેના અત્યાચારની ઘટનાના 1.89 લાખ કેસ દાખલ થયા છે. જેમાંથી 49,613 ઉત્તર પ્રદેશમાં દાખલ થયા છે. રાષ્ટ્રીય સ્તર પર માત્ર 14 ટકા કેસમાં ગુનો સાબિત થયો છે, અને સજા થઇ છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં 31 ટકા કેસમાં દોષ સાબિત થયા છે.

Dalit Atrocity

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના સાંસદ ગિરીશ મિશ્રા દ્વારા દેશમાં દલિતો પરના અત્યાચાર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2018-2021 દરમિયાન દેશમાં દલિતો પર અત્યાચારના કુલ 1,89,945 કેસ નોંધાયા હતા. આમાંથી 79 ટકા કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. 27,754 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

યુપીમાં 84 ટકા કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ

દોષિતોની સાથે, ઉત્તર પ્રદેશ આવા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં પણ આગળ છે. યુપીમાં નોંધાયેલા 49,613 કેસમાંથી 41,684 (84 ટકા) કરતાં વધુ કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સિવાય 15,455 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

પૂર્વોત્તરના 4 રાજ્યોમાં કોઈ કેસ નહીં

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોને ટાંકીને મિશ્રાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ પછી બિહારમાં દલિતો પર અત્યાચારના સૌથી વધુ 26,815 કેસ નોંધાયા છે. રાજસ્થાન 25,942 કેસ સાથે ત્રીજા અને મધ્યપ્રદેશ 24,166 કેસ સાથે ચોથા ક્રમે છે. જ્યારે મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાં આ ચાર વર્ષમાં એક પણ કેસ નોંધાયો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X