પૂર્વ સેનાધ્યક્ષ જનરલ જનરલ વી કે સિંહ ભાજપમાં જોડાયા
નવી દિલ્હી, 1 માર્ચ: તમામ અટકળો બાદ આજે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહ ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપ કાર્યાલયે આજે તેની ઔપચારિક જાહેરાત કરી દિધી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ઔપચારિક રીતે તેમને પાર્ટીનું સભ્ય પદ આપી દિધું છે. તમને જણાવી દઇએ કે વી કે સિંહ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ થયેલા આંદોલનમાં ટીમ અણ્ણા હજારેના સભ્ય રહી ચૂક્યાં છે. વી કે સિંહે પહેલાં આ વાતનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે ભાજપમાં જોડાશે નહી. આ મુદ્દે અણ્ણા હજારે સાથે રકજક થઇ હોવાના સમાચાર આવ્યા હતા.
જનરલ વી કે સિંહ રેવાડીમાં એક રેલી દરમિયાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત રહ્યાં હતા. તે પૂર્વ સૈનિકોની રેલી હતી. જનરલનું ભાજપમાં જોડાવવું પાર્ટી માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

વી કે સિંહે કહ્યું કે આજે દેશને શક્તિશાળી બનાવવા માટે પૂર્વ સૈનિકોની મદદ જરૂર છે. અમે પૂર્વ સૈનિકોને આમંત્રિત કર્યા છે, જેથી તે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી શકે. તેમણે દેશની સેવાની કરી હવે રાષ્ટ્રનિર્માણનો વારો છે. તેમણે કહ્યું હતું કે અમે ઇચ્છીએ કે દેશમાં ભાજપની સરકાર બને.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
