કોરોના વેક્સીનની આગલા બે મહિનામાં નહિ રહે કમી, એઈમ્સ ડાયરેક્ટરે જણાવ્યુ કેવી રીતે દૂર થશે મુશ્કેલી
લોકોને રસી નથી મળી રહી પરંતુ આશા છે કે આવતા બે મહિનામાં દેશમાં વેક્સીનની કમી નહિ રહે.
નવી દિલ્લીઃ દેશમાં એક તરફ કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે ત્યાં બીજી તરફ કોરોના વેક્સીનની કમી પણ સતત યથાવત છે. લોકોને રસી નથી મળી રહી પરંતુ આશા છે કે આવતા બે મહિનામાં દેશમાં વેક્સીનની કમી નહિ રહે. એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ શનિવારે કહ્યુ છે કે બે મહિનામાં મોટી સંખ્યામાં વેક્સીન ઉપલબ્ધ થશે કારણકે વેક્સીન ઉત્પાદક કંપનીઓ પોતાના ઉત્પાદન પ્લાન્ટ ખોલવાનુ શરૂ કરી દેશે અને બહારથી પણ આપણને વેક્સીન મળશે.

મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડૉ. નરેશ ત્રેહને ડૉ. ગુલેરિયા સાથે કોરોના સંક્રમણ અને વેક્સીન વિશે ચર્ચા કરી છે. આ ચર્ચામાં ગુલેરિયાએ કહ્યુ જે કંપનીઓ વેક્સીન બનાવી રહી છે તે અને મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ ખુલવાના શરૂ થશે તો વધુ ડોઝ ઉપલબ્ધ થશે. કોવિશીલ્ડ, કોવેક્સીન અને સ્પૂતનિકના ભારતમાં વધુ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ વધારવામાં આવી રહ્યા છે.
એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ કે સ્પૂતનિકે ભારતમાં ઉત્પાદન માટે ઘણી કંપનીઓએ ટાઈઅપ કર્યુ છે. ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યુટ પણ નવા પ્લાન્ટ સેટઅપ કરી રહ્યુ છે. જુલાઈ-ઓગસ્ટ સુધી અમારી પાસે મોટી સંખ્યામાં ડોઝ ઉપલબ્ધ થઈ જશે. ડૉ.ગુલેરિયાએ કહ્યુ કે અમે એક-બે મહિનામાં બધાને વેક્સીનેટ નહિ કરી શકીએ. આવી સ્થિતિમાં આ રીતની અપોઈન્ટમેન્ટ આપવાની રણનીતિ બનાવવી જોઈએ. આપણે પોતાની વસ્તીને તબક્કાવાર રીતે વેક્સીનેટ કરવા તરફ જોવાનુ રહેશે.
નરેશ ત્રેહને કહ્યુ કે કોરોનાથી બચવા માટે પર્સનલ લૉકડાઉનમાં જવાનુ છે. કોરોનાના લક્ષણ દેખાય તો ખુદનો આઈસોલેટ કરી લો. જેથી બાકીના લોકોને વાયરસથી બચાવી શકાય. જો કોવિડ પ્રત્યે સાવચેતી રાખીશુ તો આમ પણ સંક્રમણની ચેન તૂટી જશે. ડૉ. નરેશ ત્રેહને વેક્સીન વિશે કહ્યુ કે આજે વેક્સીન માટે પેનિક કરવુ યોગ્ય નથી. મારો વિચાર છે કે જ્યાં કોરોનાના હૉટ સ્પૉટ છે ત્યાં 6 સપ્તાહમાં વેક્સીન લગાવવી જોઈએ પરંતુ જ્યાં કેસ ઘટી રહ્યા છે ત્યાં ડોઝ વચ્ચે સમય વધારી શકાય છે. ડૉ. ત્રેહને કહ્યુ કે ભારત પાસે એ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાજર છે કે જો ડોઝ ઉપલબ્ધ થાય તો તે વહેલી તકે બધાને રસી મૂકાવી શકે છે.












Click it and Unblock the Notifications
