ઇમાનદાર પાર્ટી અને નેતા જ બદલી શકે છે યુપીની છબીઃ વરુણ ગાંધી

વરુણ ગાંધીએ અનાજ મંડી મેદાનમાં હજારો સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે, યુપીમાં માયાવતી અને મુલાયમ શાસનકાળમાં સુવ્યવ્થિત રીતે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળ્યું છે. આપણે એક કે બે લાખ કરોડના ગોટાળાની વાતો કરીએ છીએ પરંતુ ધ્યાન આપવા લાયક વાત એ છે કે આ માત્ર આંકડા નથી. તેમણે કહ્યું કે, આ પૈસાથી લાખો શાળાઓ ખોલી શકાઇ હોત અને લાખો નવયુવાનોને રોજગારી આપી શકાઇ હોત.
નોંધનીય છે કે, વરુણ ગાંધીને તાજેતરમાં રાજનાથ સિંહની નવી ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે, ત્યારબાદથી એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, ભાજપ યુપીમાં વરુણ ગાંધીને એક મજબૂત હથિયાર તરીકે ઉપયોગમાં લેવા માટે રોડમેપ તૈયાર કરી ચૂક્યું છે. આ વચ્ચે એવી અટકળો પણ લગાવવામાં આવી છે કે વરુણ ગાંધીને પાર્ટી આ વખતે સુલ્તાનપુર સંસદીય બેઠકથી ચૂંટણી લડાવવાની યોજના બનાવી ચુકી છે. બરેલીમાં આ રેલી બાદ હવે વરુણ ગાંધી ચોથી મેના રોજ લખનઉમાં ધરણા પર બેસશે. આ પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે બુધવારે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, યુપીમાં જ્યારે પણ સપા અને બસપાની સરકાર બને છે, ત્યારે યુપીમાં ગુંડાગીરી વધી જાય છે.
બરેલીમાં આયોજિત સ્વાભિમાન રેલીમાં હજારોની મેદનીને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષએ ઉક્ત વાત કરી છે. રાજનાથે કહ્યું કે, યુપીમાં કાયદો વ્યવસ્થા કથળી છે. યુપીમાં સપા અને બસપાની સરકાર બનતા જ ગુંડાઓ મોજમાં આવી જાય છે. કેન્દ્રીય તપાસ એજન્સીના ડરથી સપા અને બસપા કેન્દ્રને સમર્થન આપી રહી છે. સપા અને બસપાએ આ ભયમાંથી બહાર આવવું પડશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
