રામ મંદિર અંગે વિહિપે બોલાવી દેશભરના સંતોની બેઠક
વિશ્વ હિંદુ પરિષદે (વિહિપ) પાંચ ઓક્ટોબરે દિલ્હીમાં સંતોની બેઠક બોલાવી છે. જેમાં દેશભરમાંથી 36 સંતોને બોલાવ્યા છે.
વિશ્વ હિંદુ પરિષદે (વિહિપ) પાંચ ઓક્ટોબરે દિલ્હીમાં સંતોની બેઠક બોલાવી છે. જેમાં દેશભરમાંથી 36 સંતોને બોલાવ્યા છે. વિહિપે આ બેઠક અયોધ્યામાં રામ મંદિર માટે આંદોલન પર વિચાર કરવા માટે બોલાવી છે. બેઠકમાં રામ મંદિર અને કાર સેવા પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. બેઠક માટે વિશ્વ હિંદુ પરિષદના બધા સંતોને પત્ર જારી કરીને તેમાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યુ છે.

રામ મંદિર અંગે વિચાર-વિમર્શ
જણાવવામાં આવ્યુ છે કે બેઠકમાં વિશ્વ હિંદુ પરિષદ આ સંતો સાથે બેસીને નિર્ણય લેશે કે રામ મંદિર અંગે આગળની રણનીતિ શું હશે. વિહિપ નેતાઓનું કહેવુ છે કે સુપ્રિમ કોર્ટમાંથી હાલમાં આ મામલે કોઈ ચૂકાદો આવતો નથી દેખાઈ રહ્યો. એવામાં આના પર બેઠકમાં વાત થશે કે મંદિર બનાવવા માટે રસ્તો કેવી રીતે તૈયાર થાય. એટલા માટે સંતોની બેઠક 5 ઓક્ટોબરે બોલાવવામાં આવી છે. બેઠક બાદ વિહિપ તરફથી કારસેવાનું એલાન થઈ શકે છે.

સુપ્રિમ કોર્ટમાં રોજ સુનાવણીની કરશે માંગ
વિહિપ તરફથી કહેવામાં આવ્યુ છે કે સુપ્રિમ કોર્ટમાં તે વિશ્વાસ કરે છે અને અદાલતમાં મંદિર નિર્માણનો પક્ષ પણ ઘણો મજબૂત છે. અમે કોર્ટમાંથી રામ મંદિર મામલે રોજ સુનાવણી કરવાની માંગ કરીશુ જેથી આના પર ચૂકાદો આવી શકે પરંતુ જો તેમાં મોડુ થશે તો સંત સમાજ તેના પર પગલાં લેશે.

તોગડિયા પણ કરી રહ્યા છે મંદિરની માંગ
વિહિપથી અલગ થઈને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ બનાવી ચૂકેલા પ્રવીણ તોગડિયા પણ સતત રામ મંદિર અંગે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર હુમલો કરતા રહે છે. તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ અંગે રેલીનું આયોજન કર્યુ છે. તોગડિયા 21 ઓક્ટોબરે લખનઉથી અયોધ્યા સુધી રેલી કાઢશે. તોગડિયાએ કહ્યુ કે કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણ અંગે ગંભીર જણાતી નથી એટલા માટે સરકારને જગાડવા માટે 21 ઓક્ટોબરે લખનઉથી અયોધ્યા સુધી તેમનું સંગઠન રેલી કાઢશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
