Puducherry: મૉર્નિંગ વૉક પર નીકળેલ વિનાયગર મંદિરની હાથિણી 'લક્ષ્મી'નુ મોત, શોકમાં ડૂબ્યા લોકો
પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિરની ખૂબ જ પ્રખ્યાત હાથિણી 'લક્ષ્મી' બુધવારે સવારે મૃત્યુ પામી.
Puducherry: પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિરની ખૂબ જ પ્રખ્યાત હાથિણી 'લક્ષ્મી' બુધવારે સવારે મૉર્નિંગ વૉક માટે નીકળી હતી. આ દરમિયાન લક્ષ્મી અચાનક બેહોશ થઈ ગઈ અને મૃત્યુ પામી. લક્ષ્મીના અવસાનથી વિસ્તારના લોકો શોકમાં ડૂબી ગયા હતા. રિપોર્ટ મુજબ હાથિણી લક્ષ્મી 1995માં 5 વર્ષની ઉંમરમાં મનાકુલા વિનાયગર મંદિરમાં આવી હતી અને ત્યારથી તેને ભક્તોનો ઘણો પ્રેમ મળ્યો છે.

લક્ષ્મી તેના શાંત અને નમ્ર સ્વભાવ માટે જાણીતી છે. તેનો સજ્જન સ્વભાવ જ ભક્તોને તેની તરફ આકર્ષિત કરતો હતો. લક્ષ્મીને તેના મહાવત દ્વારા મૉર્નિંગ વૉક માટે લઈ જવામાં આવી જ્યારે તે રસ્તામાં અચાનક બેહોશ થઈ ગઈ હતી. વેટરનરી ડૉકટરોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ લક્ષ્મીને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. લક્ષ્મીના મૃત્યુના સમાચાર સાંભળતા જ ભારે હૈયે લોકો તેને અંતિમ વિદાય આપવા માટે દોડી આવ્યા હતા.
લક્ષ્મીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લક્ષ્મીના મૃત્યુ બાદ જે વીડિયો સામે આવ્યા છે તેમાં હજારોની ભીડ તેના મૃતદેહની આસપાસ જોવા મળી રહી છે. લક્ષ્મીના શરીરને ક્રેન વડે ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લોકોએ તેના શરીર પર ફૂલ ચઢાવ્યા છે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
