Puducherry: મૉર્નિંગ વૉક પર નીકળેલ વિનાયગર મંદિરની હાથિણી 'લક્ષ્મી'નુ મોત, શોકમાં ડૂબ્યા લોકો
પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિરની ખૂબ જ પ્રખ્યાત હાથિણી 'લક્ષ્મી' બુધવારે સવારે મૃત્યુ પામી.
Puducherry: પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિરની ખૂબ જ પ્રખ્યાત હાથિણી 'લક્ષ્મી' બુધવારે સવારે મૉર્નિંગ વૉક માટે નીકળી હતી. આ દરમિયાન લક્ષ્મી અચાનક બેહોશ થઈ ગઈ અને મૃત્યુ પામી. લક્ષ્મીના અવસાનથી વિસ્તારના લોકો શોકમાં ડૂબી ગયા હતા. રિપોર્ટ મુજબ હાથિણી લક્ષ્મી 1995માં 5 વર્ષની ઉંમરમાં મનાકુલા વિનાયગર મંદિરમાં આવી હતી અને ત્યારથી તેને ભક્તોનો ઘણો પ્રેમ મળ્યો છે.
લક્ષ્મી તેના શાંત અને નમ્ર સ્વભાવ માટે જાણીતી છે. તેનો સજ્જન સ્વભાવ જ ભક્તોને તેની તરફ આકર્ષિત કરતો હતો. લક્ષ્મીને તેના મહાવત દ્વારા મૉર્નિંગ વૉક માટે લઈ જવામાં આવી જ્યારે તે રસ્તામાં અચાનક બેહોશ થઈ ગઈ હતી. વેટરનરી ડૉકટરોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ લક્ષ્મીને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. લક્ષ્મીના મૃત્યુના સમાચાર સાંભળતા જ ભારે હૈયે લોકો તેને અંતિમ વિદાય આપવા માટે દોડી આવ્યા હતા.
લક્ષ્મીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લક્ષ્મીના મૃત્યુ બાદ જે વીડિયો સામે આવ્યા છે તેમાં હજારોની ભીડ તેના મૃતદેહની આસપાસ જોવા મળી રહી છે. લક્ષ્મીના શરીરને ક્રેન વડે ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લોકોએ તેના શરીર પર ફૂલ ચઢાવ્યા છે.