જૈન મુનિ વિરુદ્ધ બોલનાર વિશાલ ડડલાની સામે અમદાવાદમાં ફરિયાદ
હરિયાણા વિધાનસભામાં જૈન સાધુ તરુણ સાગરે જે ધર્મ અને રાજનીતિ પર પ્રવચન આપ્યું હતું. તે બાદ આપ સાથે જોડાયેલા જાણીતા ગાયક અને મ્યુઝિક કમ્પોઝર વિશાલ ડડલાનીએ તરુણ સાગરજી પર ટિપ્પણી કરી હતી. જેના પગલે તેમના અનુયાયીઓએ આજે વિશાલ ડડલાની વિરુદ્ધ અમદાવાદ એલિસબ્રીજ ખાતે ફરિયાદ નોંધાવી છે. અને તેની ટિપ્પણી દ્વારા તેમની ધાર્મિક લાગણી દુભાવી છે તેવો રોષ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે આ મામલે જૈન સાધુ તરુણ સાગરજીએ પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે વિશાલ ડડલાનીને જૈન ધર્મ વિષે કશું પણ નથી ખબર. એટલું જ નહીં તેમણે કહ્યું કે દિલ્હી વિધાનસભામાં પણ આ પ્રકારનું પ્રવચન થવાનું હતું પણ છેલ્લા સમયે તે ના થયું. ત્યારે શું છે આ આખો મુદ્દો જાણો અહીં.

જૈન મુનિ તરુણ સાગરજી
નોંધનીય છે કે જૈન મુનિ તરુણ સાગરજી તેમની તેમના ભાષણો માટે જાણીતા છે. અને અનેક લોકો તેમના અનુયાયી છે. અને માટે જ હરિયાણા વિધાનસભામાં તેમને ધર્મ અને રાજનીતિ પર પ્રવચન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વિશાલ ડડલાની
જો કે તેમના આ પ્રવચન બાદ અનેક લોકો આ વાતનો વિરોધ કર્યો હતો. જેમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જાણીતા ગાયક વિશાલ ડડલાનીનો પણ સમાવેશ થાય છે. તેમણે એક વિવાદિત ટ્વિટ કરી કહ્યું હતું કે "તમે આ પ્રકારના લોકોને મત આપ્યા તો તમે પણ આ પ્રકારના બકવાસ માટે જવાબદાર રહેશો. અચ્છે દિન નહીં બિના કચ્છે દિન આ ગયે"

કેજરીવાલની લાલ આંખ
જો કે આ મામલે વિવાદ વધતા વિશાલે ટ્વિટ ડિલટ કરી નાખ્યું હતું અને માફી પણ માંગી હતી. જો કે કેજરીવાલે પણ આ પર ટ્વિટ કરીને કહ્યું હતું કે પાર્ટી કે હું વિશાલની આ ટિપ્પણીથી સહમત નથી. અને તેમણે વિશાલને પણ આ પ્રકારની ટિપ્પણી કરવાની ના પાડી હતી.

જૈન મુનીએ શું કહ્યું?
જો કે આ સમગ્ર મામલે જૈન મુનિ તરુણ સાગરજીએ કહ્યું કે વિશાલ ડડલાનીને જૈન ધર્મ અને તેના વિશ્વાસ વિષે કંઇ નથી ખબર. સાથે જ તેમણે કહ્યું કે હું તેની વાતોની નારાજ નથી. માટે માફી માંગવાની કોઇ વાત જ નથી આવતી. વધુમાં તેમણે જણાવ્યું કે 15 માર્ચે દિલ્હી વિધાનસભા ખાતે પણ આવું પ્રવચન થવાનું હતું. જે અંગે ખુદ અરવિંદ કેજરીવાલે તરુણ સાગરજીને નિમંત્રણ આપ્યું હતું.

મુંબઇમાં પણ કેસ
નોંધનીય છે કે અમદાવાદના એલિસબ્રિજ પોલિસ સ્ટેશનમાં જે રીતે આ બાબતે કેસ નોંધવામાં આવ્યો છે. તે જ રીતે મુંબઇમાં પણ ચેબુરમાં વિશાલ ડડલાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
