શ્રીકૃષ્ણની અશ્લિલ પેઇન્ટિંગ, મોર્ડન ગોપીઓ સાથે નચાવ્યા બારમાં!
ગુવાહાટી, 13 એપ્રિલ: અભિવ્યક્તિની આઝાદીના નામ પર શું કોઇની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી કેટલે અંશે યોગ્ય છે? ગુવાહાટીની આર્ટ ગેલરીમાં એક વાર ફરી ભગવાન શ્રીકૃષ્ણની વાંધાજનક પેઇન્ટિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું આ પેઇન્ટિંગમાં તેમને અશ્લિલ મહિલાઓ સાથે રાસલીલા કરતા બતાવવામાં આવ્યા છે.
ગુવાહાટીની રાજ્ય આર્ટ ગેલરીમાં અકરમ હુસૈનની પેઇન્ટિંગની પ્રદર્શની લગાવવામાં આવી હતી. આ પ્રદર્શનીમાં ભગવાન શ્રીકૃષ્ણને એક બારમાં બતાવવામાં આવ્યા છે. જ્યારે તેમની આસ-પાસ બિકિની પહેરેલી યુવતીઓ અશ્લિલ અવસ્થામાં ઊભી છે. પેઇન્ટિંગમાં ભગવાન શ્રીકૃષ્ણની આસપાસ ઊભેલી યુવતીઓને મોર્ડન ગોપીઓના રૂપમાં ચિતરવામાં આવી છે.
આ પેઇન્ટિંગમાં ભગવાન કૃષ્ણાને આ યુવતીઓની નજીક આવતા બતાવવામાં આવ્યા છે. હુસૈનની આ પેઇન્ટિંગ પ્રદર્શની વિરુદ્ધ જોરદાર પ્રદર્શન થઇ રહ્યું છે. જ્યારે ગુવાહાટી આર્ટ ગેલેરીએ આ પેઇન્ટિંગને આર્ટ ગેલેરીમાંથી હટાવી દીધી છે.
હુસૈનની આ પેઇન્ટિંગ પર ટ્વિટર પર લોકોએ જોરદાર ટીકા કરી છે. નોંધનીય છે કે ગુવાહાટીના રવિન્દ્ર ભવનથી આ પેઇન્ટિંગને હિન્દુ સંગઠનો દ્વારા પ્રદર્શન પહેલા જ હટાવી દેવામાં આવી છે. જ્યારે હુસૈનની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવાને લઇને એફઆઇઆર પણ નોંધવામાં આવી છે.
આ પહેલી વારની ઘટના નથી કે હિન્દુ દેવી-દેવતાઓની વાંધાજનક પેઇન્ટિંગ બનાવવામાં આવી હોય. આ પહેલા એમએફ હુસેને પણ હિન્દુ દેવી-દેવતાઓની નગ્ન તસવીરો બનાવી હતી. એમએફ હુસૈનની પેઇન્ટિંગનો આખા દેશમાં વિરોધ થયો જેના પગલે તેમને ભારત પણ છોડવુ પડ્યું.
શ્રીકૃષ્ણની અશ્લિલ પેઇન્ટિંગ
ભગવાન શ્રી કૃષ્ણને બારમાં લલનાઓ સાથે નાચતા ચિતરવામાં આવ્યા.
|
શ્રીકૃષ્ણની અશ્લિલ પેઇન્ટિંગ
ભગવાન શ્રી કૃષ્ણને બારમાં લલનાઓ સાથે નાચતા ચિતરવામાં આવ્યા. લોકોએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો પોતાનો રોષ.
|
શ્રીકૃષ્ણની અશ્લિલ પેઇન્ટિંગ
ભગવાન શ્રી કૃષ્ણને બારમાં લલનાઓ સાથે નાચતા ચિતરવામાં આવ્યા.આ પેઇંટિંગમાં ભગવાન કૃષ્ણાને આ યુવતીઓની નજીક આવતા બતાવવામાં આવ્યા છે. હુસૈનની આ પેઇન્ટિંગ પ્રદર્શની વિરુદ્ધ જોરદાર પ્રદર્શન થઇ રહ્યું છે. જ્યારે ગુવાહાટી આર્ટ ગેલેરીએ આ પેઇન્ટિંગને આર્ટ ગેલેરીમાંથી હટાવી દીધી છે.
|
શ્રીકૃષ્ણની અશ્લિલ પેઇન્ટિંગ
ભગવાન શ્રી કૃષ્ણને બારમાં લલનાઓ સાથે નાચતા ચિતરવામાં આવ્યા.હુસૈનની આ પેઇન્ટિંગ પર ટ્વિટર પર લોકોએ જોરદાર ટીકા કરી છે. નોંધનીય છે કે ગુવાહાટીના રવિન્દ્ર ભવનથી આ પેઇન્ટિંગને હિન્દુ સંગઠનો દ્વારા પ્રદર્શન પહેલા જ હટાવી દેવામાં આવી છે.
|
શ્રીકૃષ્ણની અશ્લિલ પેઇન્ટિંગ
ભગવાન શ્રી કૃષ્ણને બારમાં લલનાઓ સાથે નાચતા ચિતરવામાં આવ્યા.જ્યારે હુસૈનની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવાને લઇને એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. આ પહેલા એમએફ હુસેને પણ હિન્દુ દેવી-દેવતાઓની નગ્ન તસવીરો બનાવી હતી.