વ્યાપમ કૌભાંડના વ્હિસલ બ્લોઅર આનંદ રાયને જામીન મળ્યા, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
ડૉ.આનંદ રોયની એક ધરણા દરમિયાન હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ડૉ.આનંદ રોયને ટ્રાયલ કોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.
નવી દિલ્હી : દેશમાં જોરશોરથી ગાજેલા વ્યાપમ કૌભાંડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સામે આવી પહેલી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટ આ કેસના વ્હિસલ બ્લોઅર ડૉ.આનંદ રોયને જામીન આપ્યા છે. ડૉ.આનંદ રોયની એક ધરણા દરમિયાન હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ડૉ.આનંદ રોયને ટ્રાયલ કોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.

વ્યાપમ કૌભાંડમાં ડૉ.આનંદ રાયની મોટી ભૂમિકા રહી છે. ડૉ.આનંદ રાય પર મધ્યપ્રદેશના રતલામમાં સ્થાનિક સાંસદ, કેટલાક ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટરના કાફલા પર હુમલો કરનારા ટોળાનો ભાગ હોવાનો આરોપ છે. આ ઘટના ગયા વર્ષે 15 નવેમ્બરે બની હતી.
ડૉ.આનંદ રાયને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી. તેમની ગયા વર્ષે 15 નવેમ્બરે ધરપકડ કરાઈ હતી. 17 નવેમ્બર 2022 ના રોજ ટ્રાયલ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ સિવાય 12 ડિસેમ્બર 2022ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. અહીં તેમને જામીન મળ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ PS નરસિમ્હાની બેંચે કસ્ટડીની અવધિ અને કેસના તથ્યો અને સંજોગોના આધારે તેમને જામીન આપ્યા છે. જામીન આપતાં CJI ચંદ્રચુડે મધ્યપ્રદેશ સરકારને પૂછ્યું કે, આ વ્યક્તિ આંખના નિષ્ણાત છે. તેમનું કહેવું છે કે તે વ્યાપમ કૌભાંડમાં પણ વ્હિસલ બ્લોઅર છે. ક્યાં સુધી તમે તેમને અંદર રાખશો?
આ સવાલ પર મધ્યપ્રદેશ સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ છાપને દૂર કરવા કથિત રીતે વ્હિસલ બ્લોઅર પહેલા તેમની સામે 4-5 એફઆઈઆર છે. આ દરમિયાન ડો. આંનદ રોય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દાવો કર્યો કે તેમની કસ્ટડી દરમિયાન તેમને એકાંતમાં રાખવામાં આવ્યા હતા. સોલિસિટર જનરલે આ આરોપોને ફગાવ્યા હતા.












Click it and Unblock the Notifications
