રાજકારણમાં ખરાબ સમય પણ આવે છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, 22 ડિસેમ્બરઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની હારનો સ્વિકાર કરતા માન્યુ છે કે તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં છક્કો મારી શકી નથી. રાહુલે ફિક્કીના કાર્યક્રમમાં કહ્યું કે દેશના લોકો ભ્રષ્ટાચારથી સૌથી વધુ પ્રભાવિત છે. ભ્રષ્ટાચારને લોકોની સૌથી મોટી સમસ્યા બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેની સામે લડવામાં યુપીએ સરકારે બીજા કરતા સારા કામ કર્યા છે.

લોકપાલ બિલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, લોકપાલ બિલ ભ્રષ્ટાચાર સામે લડવા માટે પૂરતું નથી. આ માટે વધુ કાયદા બનાવવા પડશે. કાર્યક્રમને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, રાજનીતિમાં હંમેશા એક સરખો સમય નથી હતો, ક્યારેય સારો તો ક્યારેક ખરાબ સમય આવે છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હારથી તેઓ શીખ્યા છે. રાહુલે યુવાશક્તિને ઓળખતા કહ્યું કે દેશ પાસે યુવા પાવર છે. આ પાવરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે.












Click it and Unblock the Notifications
