Weather Update: સાઈક્લોન 'મોચા'ના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર, એલર્ટ જાહેર
Weather Update: બંગાળની ખાડીમાં સર્જાયેલુ તોફાન 'મોચા' હવે વધુ તીવ્ર બન્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી હતી કે દક્ષિણપૂર્વ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર વિકસી રહ્યો છે, જે વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું કે આ સાયક્લોનિક સરક્યુલેશન આજથી આગામી બે દિવસ સુધી વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. જેના કારણે આગામી 4 દિવસ સુધી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશ સહિત દેશના પૂર્વ ભાગમાં આંધી અને ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આ માટે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ, દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રવિવારે અહીં ફરી વરસાદ થયો હતો, જેના કારણે રાજધાનીમાં ફરી ઠંડક પ્રસરી ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં આજે પણ વરસાદની સંભાવના છે.
આજે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, કેરળ, પશ્ચિમ બંગાળ, યુપી-બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે.
ચક્રવાત 'મોચા'ને કારણે, હવામાન વિભાગે 12 મે સુધી ઓડિશા, બંગાળ સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે અને તેથી તેણે આ બંને રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. અનુમાન મુજબ આ તોફાન ખૂબ જ શક્તિશાળી હશે. તેથી માછીમારોને દરિયામાં જવાથી અટકાવવામાં આવ્યા છે અને જે લોકો દરિયામાં છે તેમને તાત્કાલિક અસરથી પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે.
એડવાઈઝરી મુજબ, તમામ માછીમારોને 8 થી 11 મે સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં ચક્રવાત 'મોચા' વધુ તીવ્ર બન્યું છે. લોકોને તેનાથી બચવા માટે સૂચના આપવામાં આવી છે. મોચાની તીવ્રતા લોકો માટે જોખમી બની શકે છે.
મધ્યપ્રદેશના ભોપાલ, સિહોર, બેતુલ, દેવાસ, રતલામ, ઉજ્જૈન, શાજાપુરમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, પાર્વતીપુરમ, એએસઆર, અનાકાપલ્લે, એલુરુ, ઉભયા ગોદાવરી, એનટીઆર, ગુંટુર, ક્રિષ્ના, પલનાડુ, પ્રકાશમ, નેલ્લોર, તિરુપતિ, નંદ્યાલા, ચિત્તૂર અને કુડ્ડાપાહ અને અન્નમૈયાના ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે, તેથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અનુમાન અનુસાર, તોફાન દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તેથી હવામાન વિભાગનું કહેવું છે કે આજથી 12 મેની વચ્ચે પ્રવાસીઓને આંદામાન અને નિકોબાર ટાપુઓની નજીક જવાથી રોકવામાં આવે અને સમુદ્ર સંબંધિત કામ ન કરવામાં આવે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
