Weather Update: ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ, આ દિવસથી વરસાદની આગાહી, અરુણાચલમાં ભૂસ્ખલન
Weather Update: ઉત્તર ભારતમાં આકરી ગરમીનો કહેર યથાવત છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસમાં આંધી અને હળવા વરસાદના રૂપમાં થોડી રાહત મળી શકે છે.
હવામાન વિભાગે દિલ્લીમાં આજથી ગાજવીજ અને હળવા વરસાદની આગાહી કરી છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. બે-ત્રણ દિવસ પછી તે પાછું 44 ડિગ્રી સુધી પહોંચી જશે.

રાજધાનીમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી રહી શકે છે. આ પછી 23 જૂનથી ફરી એકવાર હીટવેવ ફરી વળશે. 23 અને 24 જૂને મહત્તમ તાપમાન 44 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે. આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જોરદાર પવન ફૂંકાશે.
રાજધાની સિવાય ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં 19 જૂન સુધી તીવ્ર ગરમીની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને બિહારમાં પણ આવી જ સ્થિતિની અપેક્ષા છે. IMDના વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું કે પંજાબ અને હરિયાણા સહિત ભારતના ઉત્તર-પશ્ચિમ હિમાલય વિસ્તારમાં સાંજથી વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ અપેક્ષા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે યુપીના બંને ભાગોમાં વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટ વેવનું એલર્ટ પણ છે. યુપીનું ઓરાઈ 46.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જેવી સ્થિતિના કારણે કાળઝાળ ગરમીમાં વિરામ આવવાની આશા છે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ 22 જૂન સુધી યલો અને ઓરેન્જ એલર્ટ છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો 22 જૂન સુધી કોઈ રાહત નથી. આજે હીટવેવનું યલો એલર્ટ છે જે 22 જૂન સુધી રહેશે. ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ છે. આ સમયગાળા દરમિયાન, પવન ચોક્કસપણે 40-5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
પંજાબ અને હરિયાણામાં પણ હીટ વેવ અને તીવ્ર ગરમીનો હુમલો છે. 22 જૂન સુધી બંને રાજ્યોમાં રાહતની કોઈ આશા નથી. અહીં 22 જૂન સુધી હીટવેવ એલર્ટ છે, જેમાં કેટલીક જગ્યાએ યલો એલર્ટ અને કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચેન્નાઈમાં 23 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભૂસ્ખલન થયું છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નેશનલ હાઈવે નંબર 415નો એક ભાગ પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો હતો.
ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યની રાજધાની ઇટાનગરમાં ભારે વરસાદની આગાહી કર્યા બાદ, જિલ્લા વહીવટીતંત્રે લોકોને પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ અથવા નિયુક્ત રાહત શિબિરોમાં જવાની અપીલ કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન થયું છે, પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ઘણી નદીઓ છલકાઈ રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ








Click it and Unblock the Notifications
