Weather Update : ભારતમાં આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસું, હવામાન વિભાગે કહી આ વાત
Weather Update : હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. આ વર્ષે 96 ટકા વરસાદ વરસશે. આ સાથે આ વર્ષે સમગ્ર દેશમાં 83.7 મિલીમીટર વરસાદ થશે.
જુલાઇની આસપાસ એલનીનો કંડિશન બને તેવી શક્યતા છે. જોકે, ચોમાસા અને એલનીનોનો સીધો સંબંધ રહેશે નહીં. પેસિફિક મહાસાગરમાં પેરુ નજીક સપાટીના ઉષ્ણતાને અલ નિનો કહેવામાં આવે છે.

અલ નીનોના કારણે સમુદ્રના તાપમાન અને વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરિવર્તનને કારણે સમુદ્રનું તાપમાન 4-5 ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્વના હવામાનને અસર થઈ છે.
IMD અનુસાર, દ્વીપકલ્પીય પ્રદેશ, પૂર્વીય, ઉત્તરપૂર્વીય વિસ્તારોના ઘણા ભાગો અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન, ઉત્તર પશ્ચિમ ભારત, પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્યથી સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
