West Bengal: મમતા બેનરજીને વધુ એક ઝટકો, વન મંત્રી રાજીવ બેનરજીએ આપ્યુ રાજીનામુ
આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે ત્યાં રાજકીય ગરબડ ચાલુ છે. તાજેતરમાં જ, બંગાળના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી શુભેન્દુ અધિકારિકારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને છોડીને ભાજપમાં જોડાયા હતા.
આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે ત્યાં રાજકીય ગરબડ ચાલુ છે. તાજેતરમાં જ, બંગાળના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી શુભેન્દુ અધિકારિકારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદથી મમતા બેનર્જી અને ટીએમસી ઝટકા વી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બંગાળના વન પ્રધાન રાજીવ બેનર્જીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને આપેલા રાજીનામા સંબોધનમાં તેમણે લખ્યું છે કે હું તાત્કાલિક અસરથી મારા કેબિનેટ મંત્રી પદ (વન મંત્રાલય)થી રાજીનામું આપું છું. મારા કાર્યકાળ દરમિયાન મેં બંગાળના લોકો માટે જે સેવા કરી છે તે મારા માટે સારા નસીબ અને સન્માનની વાત છે. મને આ તક આપવા બદલ હું મમતા બેનર્જી નો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. આ રાજીનામાની એક નકલ તેમણે રાજ્યપાલ જગદીપ ધનકરને પણ મોકલી હતી. જેને રાજ્યપાલે તાત્કાલિક સ્વીકારી લીધી છે.
તમને જણાવી દઈએ કે શુભેન્દુની જેમ રાજીબ પણ લાંબા સમયથી પાર્ટીથી નારાજ હતા. તેઓ મંત્રી પાર્થ ચેટર્જી સાથે ત્રણ વખત મળ્યા પણ કોઈ સમાધાન મળ્યું નહીં. હાવડા અને બંગાળના કેટલાક જિલ્લાઓમાં તેનો સારો પ્રભાવ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં દખલ બદલ રાજીબ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક અને પ્રશાંત કિશોરથી પણ નારાજ હતા. ઘણી વખત તેમણે બેઠકોમાં આની સામે અવાજ ઉઠાવ્યો છે.
આ પણ વાંચો: કોંગ્રેસને મેમાં મળશે નવા પાર્ટી અધ્યક્ષ, 15થી 30 મે વચ્ચે થઈ શકે સંગઠન ચૂંટણી
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
