પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરની તબીયત લથડી, હોસ્પિટલમાં દાખલ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને સોમવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગદીપ ધનખર મેલેરિયાથી સંક્રમિત છે અને તપાસમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને સોમવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગદીપ ધનખર મેલેરિયાથી સંક્રમિત છે અને તપાસમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગદીપ ધનખરને એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જગદીપ ધનખરને સોમવારના રોજ બપોરે 3 કલાકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ડૉક્ટર નીરજ નિશ્ચલની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. નીરજ નિશ્ચલ મેડિસિન વિભાગમાં એડિશનલ પ્રોફેસર છે.
જગદીપ ધનખર પશ્ચિમ બંગાળના સત્તાવાર ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, જ્યાં તેમને તાવની ફરિયાદ હતી. જે બાદ જગદીપ ધનખડનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ મેલેરિયાથી સંક્રમિત જણાયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખર ઉત્તર બંગાળના 10 દિવસના પ્રવાસ બાદ બાગડોગરાથી દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે અહીં જગદીપ ધનખડનો તાવ વધવા લાગ્યો, ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હાલ તેમની તબિયત સારી છે.
જગદીપ ધનખરનો જન્મ 18 મે, 1951ના રોજ કિથાણામાં થયો હતો. જગદીપ ધનખરની ઉંમર આશરે 70 વર્ષ છે. સોશિયલ મીડિયાના અહેવાલ મુજબ તેઓ એક પ્રખ્યાત રાજકારણી છે અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. તેમણે પોતાનું વરિષ્ઠ શિક્ષણ ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાં પૂર્ણ કર્યું છે. તેઓ રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી સ્નાતક થયા હતા.