પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના નાના ભાઈ અસીમનુ કોરોનાથી નિધન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનુ શનિવારે કોરોનાના કારણે નિધન થઈ ગયુ.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનુ શનિવારે કોરોનાના કારણે નિધન થઈ ગયુ. જણાવવામાં આવી રહ્યુ છે કે તેઓ છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા હતા. સીએમ મમતાના નાના ભાઈ અસીમ કોલકત્તાની મેડિકા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી એડમિટ હતા જ્યાં શનિવારે તેમનુ નિધન થઈ ગયુ. અસીમનુ દેહાંત કોરોના મહામારીના કારણે થયુ હોવાથી તેમના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકૉલ હેઠળ કરવામાં આવશે.

સુપરસ્પેશિયાલિટી મેડિકા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર આલોક રૉયે જણાવ્યુ કે બંગાળ સીએમ મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનુ શનિવારે 15 મે સવારે હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. ડૉક્ટરે પુષ્ટિ કરી કે અસીમ કોરોના સંક્રમિત મળ્યા હતા અને તેમનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
