રક્ષા ક્ષેત્રમાં 100 ટકા FDI બાદ દેશમાં જ બની શકશે સુખોઇ
બેંગ્લોર, 30 મેઃ મોદી સરકાર ડિફેન્સ સેક્ટરમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી શકે છે, તેવા અહેવાલ છે. આ અહેવાલ મળ્યા બાદ અમે કેટલાક ડીફેન્સ એક્સપર્ટ્સ સાથે વાત કરી, તો અમને નરેન્દ્ર મોદીની એ વાત યાદ આવી ગઇ, જે તેઓ રેલીઓમાં કહેતા હતા, ‘આપણે વિમાન અને તમામ હથિયાર રશિયાથી ખરીદવા પડે છે, કેમ નહીં આપણે જાતે જ હથિયાર અને વિમાન બનાવીને બીજા દેશોને વેંચીએ.'

ભારતીય સેનાના નિવૃત મેજર જનરલ ગગનદીપ બક્શી પાસેથી અમે પ્રતિક્રિયા લીધી તો તેમણે કહ્યું કે, આ એક મોટું પગલું હશે. મેજર જનરલ બક્શી અનુસાર જો 100 ટકા એફડીઆઇની મંજૂરી આપવામાં આવે તો પછી દેશમાં જ શાનદાર ફાઇટર જેટ્સ, વોરશિપ્સ, જેટ્સના એન્જીન અને આ પ્રકારના અનેક નવા આવિષ્કારો બનાવી શકાય છે.
સાથે જ તેઓ એમ પણ માનેછેકે આ થકી અમુક હદે અમેરિકા, રશિયા અને ચીન પર ઓછા નિર્ભર રહેવું પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન(ડીઆઇપીપી) તરફથી કેન્દરમાં આવેલી નવી સરકારને જે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, તે હેઠળ રક્ષા ક્ષેત્રમાં ત્રણ પ્રકારે એફડીઆઇની મંજૂરીની ભલામણ કરવામાં આવી છે.
આ ભલામણ હેઠળ 49 ટકા, 74 ટકા અને 100 ટકા એફડીઆઇનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. 49 ટકા એફડીઆઇ કોઇપણ પ્રકારની નો ટેક્નોલોજી ટ્રાન્સફર માટે, 74 ટકા એફડીઆઇ એ સ્થળો માટે જ્યાં ટેક્નોલોજી ટ્રાન્સફર થાય છે. હાલ રક્ષા ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ માટે માત્ર 26 ટકા એફડીઆઇને મંજૂરી છે. જોકે સરકાર પાસે એ આઝાદી છેકે તે કોઇ ખાસ મુદ્દા પર પોતાની ઇચ્છાથી વિદેશી રોકાણને મંજૂરી આપી શકે છે.
નિવૃત એરમાર્શલ બીકે પાંડેય તેને એક મોટો નિર્ણય માને છે. તેમણે જણાવ્યા અનુસાર, આ પગલું ખરેખર વખાણવાલાયક હશે અને છેલ્લા કેટલાક વર્ષોથી માંગ કરવામાં આવી રહી છેકે રક્ષા ક્ષેત્રમાં વધુમાં વધુ વિદેશી કંપનીઓને આવવાની છૂટ મળે. જો સરકાર એફડીઆઇને મંજૂરી આપે છે તો તે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેય માટે કારગર સાબિત થશે. એર માર્શલ પાંડેય અનુસાર ફાઇટર જેટ્સ જૂના થઇ ચૂક્યા છે. આપણે એ સ્થિતિમાં નથી કે નવા જેટ્સનું ઉત્પાદન જરૂરિયાત પ્રમાણે કરી શકીએ. તેથી આપણે હજુ પણ રશિયા અને અમેરિકા પર નિર્ભર છીએ. વિદેશી રોકાણ બાદ જે ટેક્નિક આપણે ઇઝરાયલ પાસેથી મેળવીએ છીએ, તેને આપણે અહી આપણા દેશમાં જ તૈયાર કરી શકીશું.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
