શું છે જમ્મુ કાશ્મીર આરક્ષણ અને પુનર્ગઠન બિલ? જાણો બીજેપીને લોકસભા ચૂંટણીમાં આનાથી કેટલો ફાયદો?
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે બીજેપીને મોટી જીત આપી છે. સુપ્રીમ કોર્ટમાંથી એક તરફ લીલી ઝંડી અને બીજી તરફ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર આરક્ષણ અને પુનર્ગઠન બિલ પાસ કરાવ્યુ છે.
જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023 6 ડિસેમ્બર લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. હવે કેન્દ્રીય મંત્રી અમિત શાહ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર આરક્ષણ અને પુનર્ગઠન બિલ રજૂ કરવા જઈ રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ફરી એકવાર આ બિલની ચર્ચા થવા લાગી છે અને ચર્ચાનો દોર શરૂ થયો છે.
લોકસભા ચૂંટણી પહેલા આ બિલ પસાર કરવાને લઈને સત્તાના ગલિયારાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા જમ્મુ-કાશ્મીરના બીજેપીને મજબૂત કરવા જઈ રહી છે.
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, આ બિલ પાછળ બીજેપીનો હેતુ જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરવાનો છે. આ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પકડ મજબૂત કરવાની છે.
બીજેપી કાશ્મીર ઘાટીના કોઈપણ પ્રાદેશિક પક્ષ સાથે હાથ મિલાવ્યા વિના જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવવા માંગે છે.
શું છે જમ્મુ કાશ્મીર આરક્ષણ અને પુનર્ગઠન બિલ?
- જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023 જમ્મુ અને કાશ્મીર આરક્ષણ અધિનિયમ 2004 માં સુધારો છે. આ બિલ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 માં સુધારો કરીને લાવવામાં આવ્યું છે.
- આ 2019 ના અધિનિયમમાં સુધારો કરવા અને કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ અને PoKમાંથી વિસ્થાપિત લોકોને વિધાનસભામાં પ્રતિનિધિત્વ પ્રદાન કરવા માંગે છે.
- જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 મુજબ, આ વર્ગને નબળો અને વંચિત વર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો પરંતુ હવે અન્ય પછાત વર્ગો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે.
- આ સિવાય જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023માં ગુર્જરોની સાથે પહાડીઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જોગવાઈ છે.
- આ બિલ કાશ્મીરી સ્થળાંતર સમુદાયમાંથી બે સભ્યોને નોમિનેટ કરવાની જોગવાઈ છે, જેમાંથી એક મહિલા સભ્ય હશે અને એક વ્યક્તિ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી વિસ્થાપિત વ્યક્તિ હશે અને તેને નોમિનેટ કરવાની સત્તા લેફ્ટનન્ટ ગવર્નર હશે.
- આ બિલમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 107 થી વધારીને 114 કરવાનો પ્રસ્તાવ છે, જેમાંથી 7 બેઠકો અનુસૂચિત જાતિના સભ્યો માટે અને 9 બેઠકો અનુસૂચિત જનજાતિના ધારાસભ્યો માટે આરક્ષિત હશે.
- બિલ અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિધાનસભાની 24 બેઠકો ખાલી રહેશે. તેથી વિધાનસભાની અસરકારક સંખ્યા 83 છે, જે સુધારો વધારીને 90 કરવા માંગે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
