આર્ટિકલ 370 નાબૂદ થયા પછી આખરે જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય શુ છે?
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ સરકાર સતત પ્રયત્નો કરી રહી છે કે ઘાટીના લોકોનું જનજીવન સામાન્ય થઈ શકે.
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ સરકાર સતત પ્રયત્નો કરી રહી છે કે ઘાટીના લોકોનું જનજીવન સામાન્ય થઈ શકે. હાલ ત્યાં મોટી સંખ્યામાં લશ્કરની તૈનાતી છે, જે ત્યાંના વિસ્તારો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જેથી અહીંનું વાતાવરણ બગડે નહિં અને હિંસાને ટાળી શકાય. જો કે કાશ્મીરમાં કરફ્યુને કારણે હાલ ત્યાંના લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 ફેબ્રુઆરીના રોજ ઝેલમ પાસે બિલ્ડિંગમાં વિસ્ફોટ કરાયો હતો. જેની 100 મીટર દૂર પૈરામિલિટ્રીના 40 જેટલા જવાનો માર્યા ગયા હતા. આ ઘટનાના 6 મહિના બાદ પણ આજે અહીંના નિવાસીઓ નઝીર અહમદથી ડરેલા છે. આ બ્લાસ્ટ બાદ એનઆઈએના નજીરની ધરપકડ કરી તેની પૂછતાછ કરાઈ હતી.

વેપારની સ્થિતિ ખરાબ
નજીર જણાવે છે કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ મને ડર છે કે આવનારા 20 વર્ષોમાં ઘાટીમાં મોટી ઈન્ડસ્ટ્રીઝ લાગશે અને અહીં મારો બિઝનસ ખતમ થઈ જશે. અહીં લોકોને ભારતથી કાચો માલ સસ્તા ભાવે મેળશે. સાથે જ નોકરીમાં સ્પર્ધા વધશે જેને કારણે યુવાઓમાં નિરાશા વધશે, જેને કારણે ઘાટીમાં આતંકવાદ વધશે.

નેતાઓની ધરપકડ
5 ઓગસ્ટથી ઘાટીના રાજનેતાઓની જગ્યા ખાલી છે. ત્યાંના 3 પૂર્વ મુખ્યમંત્રીઓની ધરપકડ કરી લેવાઈ છે. ઉપરાંત 500 અન્ય નેતાઓ, કાર્યકર્તાઓની પણ ધરપકડ કરાઈ છે. ઘણા સ્થાનિક લોકો એવા છે જેમને આ નેતાઓ પ્રત્યે ઓછી સહાનુભૂતિ છે. કારણ કે આ નેતાઓ ઘાટીની સ્થિતિને સુધારવા અને તેને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે.

રાજકારણ
અનંતનાગના સ્થાનીય વેપારી બશીર અહમદ કહે છે કે આ નેતા ફેલ થયા છે, તેમણે અમને દગો આપ્યો છે તો તેમનું શું કામ છે. ઉપરાંત અનંતનાગ અને અવંતીપુરામાં પણ લોકો આ નેતાઓને લઈ નિરાશ છે. જ્યારથી ઘાટીમાં કરફ્યુ લાગ્યુ છે ત્યારથી અત્યાર સુધીનું સૌથી મોટુ પ્રદર્શન શ્રીનગરના સૌરામાં શુક્રવારે થયુ હતુ. જમ્મુ કાશ્મીર પોલિસના કોન્સ્ટેબલનું કહેવું છે કે, મારુ કામ આદેશનું પાલન કરવાનું છે અને હું તે કરી રહ્યો છું. જો કે તેનો અર્થ એ નથી કે હું દુઃખી કે નારાજ છું. કાશ્મીર હવે પોતાનું લાગતુ નથી.

સુરક્ષા
ઘાટીમાં શ્રીનગરને સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે અને અહીં બાદામી બાગ કેન્ટોનમેન્ટમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો છે. હજુ સુધી સ્પષ્ટતા કરાઈ નથી કે ઘાટીમાં સંચાર કેટલા દિવસ સુધી બંધ રહેશે. સેનાના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે કાશ્મીરીઓ સમજવું જોઈએ કે આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ હવે તે પાછી લાવી શકાય નહિં. અહીં ખાસ ઉદેશ્યથી નિયંત્રણ રખાયુ છે. અમે અહીં ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી અહીં અમારી સેવાની જરૂર છે.

ક્યાં સુધી રહેશે પ્રતિબંધ
ઉત્તરીય આર્મીના પૂર્વ કમાન્ડર રિટાયર્ડ લેફ્ટનેન્ટ જનરલ ડીએસ હુડા કહે છે કે, આખરે ક્યાં સુધી અહીં પ્રતિબંધ લગાવી શકાશે. એક સમયે તો તેને હટાવવો જ પડશે. સુરક્ષા દળોએ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. સૌથી મોટી વાત તો એ છે કે અહીં થનારા જનવિરોધનો કેવી રીતે સામનો કરવો, આ વસ્તુ એક દિવસ થઈને રહેશે. સુરક્ષાદળો સામે સૌથી મોટી ચેલેન્જ એ છે કે કરફ્યુ હટાવ્યા બાદ સ્થિતિને કેવી રીતે સામાન્ય રાખી શકાય. અનંતનાગની કોલેજના એક વિદ્યાર્થી પરવેઝ યાકુબનું કહેવું છે કે તમે જે જોઈ રહ્યા છો તે સરકારની કાર્યવાહી છે. અમારી આઝાદી પર આ પહેરો છે. તેની વિરુદ્ધ પ્રદર્શન થશે, આ તોફાન આવવા પહેલાની શાંતિ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
