જ્યારે એક નારંગી વેચવા વાળો ઉઘાડા પગે પદ્મશ્રી લેવા પહોંચ્યો!
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વર્ષના પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન જ્યારે કર્ણાટકના નારંગી વેચનારા રાષ્ટ્રપતિ પાસે સન્માન લેવા પહોંચ્યા ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વર્ષના પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન જ્યારે કર્ણાટકના નારંગી વેચનારા રાષ્ટ્રપતિ પાસે સન્માન લેવા પહોંચ્યા ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. હરેકલા હજબ્બા ખુલ્લા પગે સાદા વસ્ત્રો પહેરીને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે આજે હરેકલા હજબ્બાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી અર્પણ કર્યું. કર્ણાટકના મેંગ્લોરના એક નારંગી વેરનારાએ તેમના ગામમાં એક શાળા બનાવવા માટે વ્યવસાયમાંથી રૂપિયા બચાવ્યા અને શાળા બનાવી.

હરકેલા મેંગ્લોર શહેરથી લગભગ 40 કિમી દૂર ગામમાં સંતરા વેચે છે. તેણે પોતાના ધંધામાંથી પૈસા બચાવ્યા અને ગામના બાળકો માટે શાળા બનાવી. ગામમાં શાળા ન હોવાથી હરકેલાનું ભણતર થઈ શક્યું ન હતું. તેથી તેણે પોતાના ગામમાં એક શાળા બંધાવી. તેમને આ પ્રયાસ વર્ષ 1995માં શરૂ કર્યો હતો. 2000 માં હરેકલા હજબ્બાએ તેમની બધી બચતનું રોકાણ કર્યું અને એક એકર જમીનમાં શાળા શરૂ કરી.
તમને જણાવી દઈએ કે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એક ભવ્ય સમારોહમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા રાજનેતાઓને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
President Kovind presents Padma Shri to Shri Harekala Hajabba for Social Work. An orange vendor in Mangalore, Karnataka, he saved money from his vendor business to build a school in his village. pic.twitter.com/fPrmq0VMQv
— President of India (@rashtrapatibhvn) November 8, 2021
વર્ષ 2020 માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 141 લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. મંગળવારે એટલે કે આવતીકાલે 2021 માટે 119 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને આ એવોર્ડ એનાયત કર્યો હતો. એવોર્ડ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
