દિવંગત બાળ ઠાકરે પ્રત્યે મોદીના 'સન્માન' પર શિવસેનાનો કટાક્ષ
નવી દિલ્હી, 6 ઓક્ટોબર: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન તૂટવાથી લઇને શિવસેનાએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ રવિવારે સાંગલીની એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે તે બાળ ઠાકરેનું સન્માન કરે છે, એટલા માટે ચૂંટણી પ્રચારમાં શિવસેના વિરૂદ્ધ કંઇપણ નહી બોલે. આ ચૂંટણી પ્રચારમાં શિવસેના વિરૂદ્ધ એક પણ શબ્દ નહી બોલવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાનના આ નિવેદન બાદ શિવસેનાએ હવે પાર્ટીના મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો છે. સામનામાં છપાયેલા લેખમાં વડાપ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાકવામાં આવ્યું છે.
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સામના એડિટોરિયલમાં લખ્યું છે કે અમે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરીએ છીએ પરંતુ ગઠબંધન કેમ તોડવામાં આવ્યું. શિવસેનાને લઇને સન્માન તે સમયે ક્યાં ગયું, જ્યારે રાજ્યમાં બંને પક્ષ વચ્ચે સીટોની વહેંચણીને લઇને ગઠબંધન તોડવામાં આવ્યું.

ઉદ્ધવ ઠાકરેએ એમપણ લખ્યું છે કે જો ગઠબંધન તોડવામાં ન આવતું તો બાળા સાહેબ ઠાકરે માટે સાચી શ્રદ્ધાંજલિ હોત. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે મહારાષ્ટ્રને તોડવાનું સપનું લઇને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે અને તેના માટે શેઠ સાહુકારો અને સટ્ટા બજારના પૈસા લગાવવામાં આવી રહ્યાં છે. સાથે જ કહેવામાં આવે છે કે આ લોકોને છત્રપતિ શિવાજીના આર્શિવાદ મળશે એમ કહીને શહીદોનું અપમાન કરવામાં આવ્યું છે.
સામનામાં એમપણ કહેવામાં આવ્યું છે કે જે કોંગ્રેસવાળા, મોરારજી દેસાઇ પણ કરી શક્યા અંથી તે આજે ભાજપે કરી બતાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાને આ જણાવવા માટે મુંબઇ આવવાની જરૂરિયાત નથી કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીઓએ મહારાષ્ટ્રમાં લૂંટ મચાવી છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતની મુખ્યમંત્રી આનંદ પટેલ ત્યાં લૂંટવા માટે આવી હતી. ઉદ્યોગપતિઓને ગુજરાત જવા માટે કહેવું પણ મહારાષ્ટ્રને લૂંટવું જ છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીઓએ મહારાષ્ટ્રને લૂટ્યું, એવું કહેવા માટે વડાપ્રધાને મુંબઇ આવવાની જરૂરિયાત નથી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
