શિવસેનામાં બહુમત કોની પાસે? ECએ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે પાસે માંગ્યા સબુત
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગયા પછી અને એકનાથ શિંદે ભાજપના ટેકાથી સીએમ બન્યા પછી પણ શિવસેનામાં આવેલો ભૂકંપ અત્યારે અટકે તેમ લાગતું નથી. હકીકતમાં, ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને લેખિતમાં પુરાવા રજૂ કર
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગયા પછી અને એકનાથ શિંદે ભાજપના ટેકાથી સીએમ બન્યા પછી પણ શિવસેનામાં આવેલો ભૂકંપ અત્યારે અટકે તેમ લાગતું નથી. હકીકતમાં, ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને લેખિતમાં પુરાવા રજૂ કરવા કહ્યું છે કે શિવસેનામાં કોની પાસે બહુમતી છે. બંને પક્ષોને 8 ઓગસ્ટે બપોરે 1 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે, ત્યારબાદ ચૂંટણી પંચ શિવસેનાના બંને જૂથોના દાવા અને વિવાદો સાંભળશે.

તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચની સામે શિવસેના પર પોતાનો દાવો વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ ચૂંટણી પંચે આ પગલું ભર્યું હતું. ઉદ્ધવ ઠાકરે કેમ્પના અનિલ દેસાઈએ અગાઉ ચૂંટણી પંચને અનેકવાર પત્ર લખીને દાવો કર્યો હતો કે પક્ષના કેટલાક સભ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. અનિલ દેસાઈએ શિંદે જૂથ દ્વારા 'શિવસેના' અથવા 'બાલા સાહેબ' નામનો ઉપયોગ કરીને કોઈપણ રાજકીય પક્ષની રચના સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
શિંદે જૂથે ચૂંટણી પંચને પોતાની દલીલમાં શું કહ્યું
આ પછી અનિલ દેસાઈએ પણ ચૂંટણી પંચને પત્ર લખીને એકનાથ શિંદે, ગુલાબરાવ પાટીલ, તાનજી સાવંત અને ઉદય સામંતને પાર્ટીમાંથી તેમના પદ પરથી હટાવવાની માંગ કરી હતી. તે જ સમયે, એકનાથ શિંદે જૂથ વતી 'ઇલેકશન સિમ્બોલ્સ ઓર્ડર 1968ના પેરા 15' હેઠળ એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે શિંદેના નેતૃત્વવાળી પાર્ટીને શિવસેના તરીકે માન્યતા આપવામાં આવે અને તેમને ધનુષ અને તીરનુ નિશાન આપવામાં આવે. એકનાથ શિંદેએ ચૂંટણી પંચને એમ પણ જણાવ્યું કે શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો, ઘણા એમએલસી અને 12માંથી 18 સાંસદોનું સમર્થન તેમને છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
