કોણ છે અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર? ફેબ્રુઆરીમાં થયા હતા લગ્ન, જાણો તેમના પરિવાર વિશે
અમૃતપાલ સિંહે આ વર્ષે ફેબ્રુઆરીમાં કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. કિરણદીપ કૌર યુનાઇટેડ કિંગડમની છે અને એનઆરઆઈ મહિલા છે.
વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ ભાગેડુ જાહેર થયા બાદ ફરાર છે. પંજાબ પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી. આ દરમિયાન અમૃતપાલ સિંહના અંગત જીવનને લઈને ઘણા ખુલાસા થઈ રહ્યા છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક (જાલંધર રેન્જ) સ્વપન શર્માને રવિવારે પૂછવામાં આવ્યું કે શું અમૃતપાલ સિંહ નેપાળ થઈને કેનેડા ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો અને શું તેની પત્નીએ કેનેડાના વિઝા માંગ્યા હતા. તેના પર તેમણે કહ્યું કે આ એક શક્યતા છે પરંતુ તે તપાસનો વિષય છે.

આ પછી અમૃતપાલ સિંહ NRI પત્ની વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, અમૃતપાલ સિંહ અને કિરણદીપ કૌરના લગ્ન 10 ફેબ્રુઆરી 2023ના રોજ થયા હતા.

કોણ છે અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર?
અહેવાલો અનુસાર, 29 વર્ષીય અમૃતપાલ સિંહે આ વર્ષે 10 ફેબ્રુઆરીએ યુકેમાં રહેતી એનઆરઆઈ મહિલા કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન અમૃતપાલ સિંહના મૂળ ગામ જલ્લુપુર ખેડા, અમૃતસરમાં થયા હતા. કિરણદીપનો પરિવાર જલંધરનો રહેવાસી છે.
અમૃતપાલ સિંહે લગ્ન પછી કહ્યું હતું કે તેમની પત્ની પંજાબમાં તેમની સાથે રહેશે કારણ કે આ લગ્ન રિવર્સ માઈગ્રેશનનો સંદેશ છે. અને તેઓ ઈચ્છે છે કે તમામ પંજાબી સ્થળાંતર કરનારાઓ તેમના રાજ્યમાં પાછા ફરે.

પોલીસ કિરણદીપ કૌરને પૂછપરછ માટે બોલાવી શકે છે
પંજાબ પોલીસે વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહને પકડવાના પ્રયાસમાં તેની પત્ની કિરણદીપ કૌરની તપાસ કરી હતી. તપાસ દરમિયાન જ ખબર પડી કે તેણે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. પંજાબ પોલીસ ટૂંક સમયમાં કિરણદીપ કૌરને પૂછપરછ માટે બોલાવી શકે છે. અમૃતપાલ સાથે લગ્ન કર્યા બાદ કિરણદીપ પંજાબ આવી ગઇ હતી.

જાણો અમૃતપાલના પરિવારમાં કોણ કોણ છે?
અમૃતપાલ એક જટ શીખ પરિવારનો છે. અમરીપાલનું મૂળ ગામ અમૃતસરના જલ્લુપુર ખેડામાં છે. અમૃતપાલના પરિવારનો દુબઈમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે. અમૃતપાલ દુબઈમાં ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં પરિવારને મદદ કરતો હતો.
અમૃતપાલના પિતાનું નામ તરસેમ સિંહ અને માતાનું નામ બલવિંદર કૌર છે. તરસેમને ચાર ભાઈ-બહેન છે. તરસેમ સિંહ દુબઈમાં પણ કામ કરી ચૂક્યો છે. બલવિંદર કૌર મીડિયાથી દૂર રહે છે. અમૃતપાલના કાકા હરજીત સિંહે દુબઈમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો. જે બાદ તે કેનેડા ગયો હતો. આ પછી તે ગયા મહિને જ ભારત પરત ફર્યો છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
