Who is Pankaj Chaudhary: 7 વાર જીત્યા, પીએમ મોદીના વિશ્વાસુ, જાણો કોણ છે પંકજ ચૌધરી?
Who is Pankaj Chaudhary: મોદી સરકાર 3.0 માટે નરેન્દ્ર મોદી રવિવારે સાંજે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. આની સાથે જ કેટલાય સંસદ તેમની કેબિનેટમાં સામેલ થશે. મહરાજગંજના સાંસદ પંકજ ચૌધરીના નામની ચર્ચા જોર પર છે કે તેમને આ વખતે પણ મંત્રાલયમાં સામેલ કરવામાં આવશે. આવો એક નજર નાખીએ પંકજ ચૌધરીની અત્યાર સુધીની સફર પર.

સાતવી વાર સાંસદ બન્યા પંકજ ચૌધરી
લોકસભા ચૂંટણી 2024માં ભાજપના ઉમેદવાર પંકજ ચૌધરીએ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર વીરેન્દ્ર ચૌધરીને હરાવી મહરાજગંજ લોકસભા સીટથી સૌથી વધુ સાંસદ બની રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. પંકજ ચૌધરીએ આ સીટ સાતમી વખત જીતી છે.
મોદી વિશ્વાસુ છે
સાંસદ પંકજ ચૌધરી કુર્મી બિરાદરીના મોટા નેતા માનવામાં આવે છે. 7 વખત લોકસભા ચૂંટણી જીતનાર પંકજ ચૌધરી નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર છે. પીએમ મોદી પોતાના ગોરખપુર પ્રવાસ દરમિયાન તેમના નિવાસ સ્થાને પણ ગયા હતા.
દેશના કેન્દ્રીય નાણામંત્રી પણ બન્યા હતા
પીએમ મોદીના વિશ્વાસુ એવા પંકજ ચૌધરી જ્યારે 2019માં ચૂંટણી જીત્યા ત્યારે તેમને દેશના કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ વખતે પણ કોઈ મહત્વપૂર્ણ વિભાગ મળી શકે છે.
રાજનૈતિક સફર
પંકજ ચૌધરીએ પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત 1990માં ગોરખપુર નગર નિગમની ચૂંટણીથી કરી હતી. તેઓ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. વર્ષ 1991માં તેમણે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર મહારાજગંજથી લોકસભા ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા. જે બાદ તેમણે ત્રણ ચૂંટણી જીતી. પરંતુ 1999માં પંકજ ચૌધરીએ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 2004માં પંકજ ચૌધરીએ ફરી એકવાર ભાજપનો પરચમ લહેરાવ્યો હતો. 2014 અને 2019ની ચૂંટણી પણ પંકજ ચૌધરીએ જીતી. આ વખતે ફરીથી જીત નોંધાવી છે. ગોરખપુરમાં 20 નવેમ્બર 1964ના રોજ જન્મનાર પંકજ ચૌધરીએ ગૌરખપુર વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો. પંકજ ચૌધરીની પત્નીનું નામ ભાગ્યશ્રી છે. તેમને રોહન ચૌધરી નામનો એક દીકરો અને અન્ય એક દીકરી પણ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
