'બસ્તરના ટાઇગર' મહેન્દ્ર કર્માથી ડરતા હતા નક્સલીઓ
રાયપુર, 26 મે: છત્તીસગઢમાં કોંગ્રેસની રેલી પર 100થી નક્સલીઓના હુમલામાં વરિષ્ઠ નેતા મહેન્દ્ર કર્મા સહિત 27 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ મુદ્દે નક્સલીઓનો સૌથી મોટો નિશાનો મહેન્દ્ર કર્મા હતા. નક્સલીઓએ સૌથી પહેલાં કાફલાનો રોક્યો અને મહેન્દ્ર કર્માને કારમાંથી બહાર કાઢ્યા. તેમને થોડા દૂર લઇ ગયા અને ગોળીઓથી વિંધી નાખ્યાં.
આખરે એવું કયું કારણ હતું તે નક્સલીઓના નિશાના પર હતા? આ પ્રશ્ન દેશભરમાં ગૂંજી રહ્યો છે. તો ચાલો અમે તમને જણાવીએ મહેન્દ્ર કર્માના જીવન સફર વિશે જ્યાં આ પ્રશ્નનો જવાબ જરૂર મળશે. મહેન્દ્ર કર્મા છત્તીસગઢમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને 2004 થી 2008 સુધી તે વિપક્ષ નેતા રહ્યાં હતા. મહેન્દ્ર કર્માની આ ભૂમિકાથી નક્સલીઓને કોઇ વાંધો ન હતો, પરંતુ નક્સલીઓ વિરૂદ્ધ તેમનું અભિયાન હંમેશા ખટકતું રહ્યું હતું. 2005માં મહેન્દ્ર કર્માએ સલવા ઝુડૂમની સ્થાપના કરી હતી.
મહેન્દ્ર કર્મા બસ્તર જિલ્લાના રહેનાર આદિવાસી નેતા હતા. તેમનો જન્મ દંતેવાડાના દારોબોડા કર્મામાં થયો હતો. બસ્તરમાં અભ્યાસ કર્યો પછી જગદલપુરથી ગ્રેજ્યુએશન પુરૂ કર્યું. તેમને પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાથી કરી હતી. તે બસ્તરથી લોકસભાની ચૂંટણી અને દંતેવાડાથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તે છત્તીસગઢથી ઔદ્યોગિક વિકાસ મંત્રી રહી ચૂક્યાં છે.
1991માં જન જાગરણ અભિયાન ચલાવીને નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું. જોત જોતામાં તેમને સલવા ઝુડૂમની સ્થાપના કરી અને ત્યારથી તે નક્સલીઓના નિશાના પર આવી ગયા અને તેમને જેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. મહેન્દ્ર કર્માની સાથે છત્તીસગઢના લોકો જોડાઇ ગયા અને સંગઠન મજબૂત થતું ગયું.

રાજ્ય સરકારે તેને સ્પેશિયલ પોલીસ ઓફીસર્સના રૂપમાં માન્યતા આપી તો સંગઠનને વધુ મજબૂતી મળી ગઇ. પરંતુ 2008માં સલવા ઝુડૂમના કાર્યકર્તાઓ અને નક્સલીઓ વચ્ચે મૂઠભેડ થઇ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સલમા ઝુડૂમની માન્યતાને ખતમ કરવાનો આદેશ દિધો. ધીરે-ધીરે સલમા ઝુડૂમનું અસ્તિત્વ ફીકુ પડવા લાગ્યું અને બસ્તરનો વાધ સંપૂર્ણ રીતે કોંગ્રેસની પાર્ટી ગતિવિધિઓમાં વ્યસ્ત થઇ ગયા.
પરંતુ નક્સલીઓનો ગુસ્સો ઓછો થયો ન હતો. 8 નવેમ્બર 2012ના રોજ નક્સલીઓના લેંડમાઇન્સ પાથરીને ઘાતક હુમલો કર્યો ત્યારે તે બચી ગયા, પરંતુ 26 મે 2013ના રોજ જગદલપુરમાં થયેલા હુમલામાં કિસ્મતે તેમને સાથે ન આપ્યો અને નક્સલીઓએ બસ્તરના વાઘને ગોળીઓથી વિંધી નાખ્યો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
