1972 બાદ કોઈ ચંદ્ર પર કેમ નથી ગયુ? જાણો કેમ અમેરિકાએ મુન મિશન બંધ કરી દીધા?
ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની ધરતી પર ઉતરવા માટે રવાના થઈ ગયુ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક તરફ ભારત ચંદ્ર પર ઉતરવા માટે સતત મિશન મોકલી રહ્યુ છે ક્યારે અમેરિકા જેવા દેશોએ તેના મુન મિશન બંધ કરી દીધા છે. એવુ તો શું થયુ કે માણસને ચંદ્ર પર મોકલ્યા બાદ પણ અમેરિકાએ તેના મુન મિશન બંધ કરી દીધા?

21 જુલાઈ 1969ની તારીખ અવકાશ વૈજ્ઞાનિકો અને માનવ સભ્યતા માટે એક મહત્વની તારીખ છે. આ એ જ દિવસ છે જ્યારે માણસે પહેલી વખત ચંદ્ર પર પગ મુક્યો હતો. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર ઉતર્યા બાદ તેમનાા પથી યુજીન સર્નાન 1972માં છેલ્લી વખત ચંદ્ર પર ગયા હતા. યુજેન ચંદ્ર પર ચાલનારા છેલ્લા વ્યક્તિ હતા. આ પછી આજ સુધી કોઈ મનુષ્ય ચંદ્ર પર ગયુ નથી. હવે સવાલ એ છે કે આવું કેમ થયું? આ પછી કોઈ દેશે ચંદ્ર પર કોઈ માણસ કેમ નથી મોકલ્યો?
1972 પછી કોઈ પણ વ્યક્તિને ચંદ્ર પર ન મોકલવા પાછળનું સૌથી મોટું કારણ પૈસા છે. બીબીસીના એક અહેવાલ અનુસાર, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ખગોળશાસ્ત્રના પ્રોફેસર માઈકલ રિચ કહે છે કે, ચંદ્ર પર માનવ મિશન મોકલવામાં ઘણો ખર્ચ થયો હતો અને તેનાથી વૈજ્ઞાનિકોને લાભ ઓછો થયો.
તમને જાણીને નવાઈ લાગશે કે, 2004માં, અમેરિકાએ ફરી એકવાર ચંદ્ર પર માનવ મિશન મોલવા માટે યોજના બનાવી હતી અને આ માટે તત્કાલિન રાષ્ટ્રપતિ ડબલ્યુ જ્યોર્જ બુશે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે આના માટે અધધ 104,000 મિલિયન ડોલરનું અંદાજિત બજેટ રજુ કરાતા તેને બંધ કરી દેવાયો.
તમને જણાવી દઈએ કે, ભારતે 22 ઓક્ટોબર 2008ના રોજ ચંદ્રયાન 1 લોન્ચ કર્યું હતું. આ પછી 22 જુલાઈ 2019 ના રોજ બીજા પ્રયાસમાં ચંદ્રયાન-2 ચંદ્રની ધ્રુવીય ભ્રમણકક્ષામાં ચંદ્રની પરિક્રમા કરતી વખતે લેન્ડર વિક્રમથી અલગ થયુ અને ઉતરાણ કરતી વખતે ક્રેશ થઈ ગયુ. હવે ભારતે તેનું ચંદ્રયાન 3 લોંચ કર્યુ છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
