For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત મહત્ત્વની કેમ? - Top News

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત મહત્ત્વની કેમ? - Top News

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન છ ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત થોડા કલાકોની જ છે, પણ તેને મહત્ત્વની માનવામાં આવે છે.

અંગ્રેજી અખબાર ધ હિન્દુ પોતાના રિપોર્ટમાં લખે છે કે ભારત અને રશિયા ભારત-પ્રશાંત ક્ષેત્ર અને અનેક મુદ્દાઓ પર અલગઅલગ મત ધરાવે છે. આ બેઠકમાં તેના પર પણ નજર રહેશે.

નરેન્દ્ર મોદી સાથેવ્લાદિમિર પુતિન

રાષ્ટ્રપતિ પુતિન સોમવારે સાંજે નવી દિલ્હી પહોંચી રહ્યા છે અને વાર્ષિક સંમેલનમાં ભાગ લીધા બાદ તેઓ પરત ફરશે.

આ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો કેન્દ્રસ્થાને રહેશે, જેમાં એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી અને અનેક રક્ષા સોદા પર ચર્ચા થઈ શકે છે.


અમેરિકન લોકતંત્ર મૂળિયાં વિનાનું ઝાડ છે- ચીન

ચીની વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે અમેરિકન લોકતંત્ર એક એવી નદી છે, જેનો કોઈ સ્રોત નથી અને આ એક એવું ઝાડ છે, જેનાં કોઈ મૂળિયાં નથી.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ હાર્વર્ડ કૅનેડી સ્કૂલના એ સરવે પર પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવાયું હતું કે અમેરિકન યુવાઓમાં લોકતંત્રને લઈને વિશ્વાસ ઓછો થયો છે.

ચીનની સરકારી સમાચાર ટીવી સીજીટીએન અનુસાર, સરવેમાં અમેરિકન યુવાઓએ કહ્યું, "માત્ર સાત ટકા લોકો માને છે કે અમેરિકામાં સ્વસ્થ લોકતંત્ર છે. સર્વેમાં 52 ટકા લોકોએ કહ્યું કે કાં તો અમેરિકન લોકતંત્ર સમસ્યાગ્રસ્ત છે અથવા તો નીચે જઈ રહ્યું છે."

ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે "અમેરિકન લોકતંત્ર દેશના લોકોને મૂર્ખ બનાવવા અને વિદેશોમાં અધિનાયકવાદની સ્થાપના કરવા માટે છે."


સરકાર સાથે વાતચીત માટે સંયુક્ત કિસાન મોરચાએ સમિતિ બનાવી

https://www.youtube.com/watch?v=E_BPR_oKNGM

સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ શનિવારે સિંઘુ બૉર્ડર પરની બેઠક બાદ એક સમિતિ બનાવવાનું એલાન કર્યું છે.

ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા તરફથી એક સમિતિ બનાવાઈ છે.

તેમણે કહ્યું કે આ સમિતિમાં સંયુક્ત કિસાન મોરચાના પાંચ લોકો હશે.

https://twitter.com/ANI/status/1467086921436303361

ટિકૈતે કહ્યું કે "આ સમિતિમાં બલબિરસિંહ રાજેવાલ, શિવકુમાર કાકા, અશોક ભાવલે, યુદ્ધવીરસિંહ અને ગુરુનામસિંહ ચઢુની સામેલ થશે."

રાકેશ ટિકૈતે એ પણ કહ્યું કે આ સમિતિને તમામ અધિકાર આપવામાં આવ્યા છે અને આ સમિતિ જ સરકાર પાસે જનારા લોકોનાં નામ નક્કી કરશે.

તેમણે કહ્યું કે એસકેએમની આગામી બેઠક સાત માર્ચે થશે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=W-hLA-wYKzU

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why is Russian President Putin's visit to India important? - Top News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X