મોદી તેમની પત્ની વિશે કેમ કઇ નથી બોલતા: દિગ્વિજય સિંહ

દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે તેઓ કોઇ રાજનેતાના અંગત જીવન પર નથી બોલતા, પરંતુ મોદીએ કેન્દ્રીય રાજ્યમંત્રી શશિ થરૂરની પત્ની પર જે રીતની ટિપ્પણી કરી છે તે સમગ્ર નારીનુ અપમાન છે અને તેઓ તેમના આ નિવેદનની નિંદા કરે છે.
કોંગ્રેસ મહાસચિવે મોદીએ કરેલા સુનંદા પુષ્કર પરના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું કે 'મોદી પોતાની પત્નીના નામને લઇને ચૂપ કેમ છે, તેમના લગ્ન 1968માં જશોદાબેન સાથે થયા હતા, જેને લગતા વીડિયો યુટ્યુબ પર પણ છે.'
જોકે 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પત્નીનો મુદ્દાએ ખુબ જ જોર પકડ્યું હતું. અને એકવાર ફરી ચૂંટણીના સમયે આ મુદ્દો આગ પકડી રહ્યો છે.
શિમલામાં બીજેપી પર પ્રહાર
દિગ્વિજય સિંહે આજે શિમલામાં બીજેપી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે બીજેપી સાશિત રાજ્યોમાં જમીન કૌભાંડ સામે આવ્યા છે જ્યારે કોંગ્રેસે ગરીબોને જમીન ફાળવી છે.
દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે બીજેપીનેતા અનુરાગ ઠાકુરે સ્ટેડિયમ પાસેની જમીનનો ઉપયોગ શા માટે બદલ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ધર્મશાળામાં સ્ટેડિયમ બનાવવામાં કૌભાંડ નથી થયું પરંતુ ખેલાડિઓને રહેવા માટેના સ્થળે ફાઇવ સ્ટાર હોટલ શા માટે બનાવવામાં આવી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
