જાણો આખરે કેમ સોનિયા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનવું પડ્યું
કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રમુખની શોધ આખરે સોનિયા ગાંધીના નામ પર અટકી ગઈ. આ આખી કવાયત પાર્ટીના પ્રમુખ માટે ગાંધી પરિવારની બહારથી સભ્યને બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી
કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રમુખની શોધ આખરે સોનિયા ગાંધીના નામ પર અટકી ગઈ. આ આખી કવાયત પાર્ટીના પ્રમુખ માટે ગાંધી પરિવારની બહારથી સભ્યને બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ પાર્ટી ગાંધી પરિવારની બહારના કોઈ પણ સભ્યને પાર્ટીની કમાન સોંપવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ હતી. ત્યારપછી અંતે સોનિયા ગાંધીને પાર્ટીની કમાન સોંપવામાં આવી હતી અને તેમને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

દિગ્ગજ નેતાઓ પર સામાન્ય સહમતી નહીં બની શકી
અગાઉ પાર્ટી અધ્યક્ષ પદ માટે વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસ્નિક, જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ સૂચવવામાં આવ્યા હતા, પરંતુ બહુ ઓછા લોકોએ તેમને ટેકો આપ્યો હતો. આ નેતાઓ આગળ આવ્યા પછી પાર્ટીમાં ભાગલા પડવાની સંભાવના હતી, ત્યારબાદ પાર્ટીએ સોનિયા ગાંધીને અધ્ય્ક્ષ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં સોનિયા ગાંધી આ પદ માટે તૈયાર ના હતા, પરંતુ જ્યારે પક્ષના નેતાઓએ તેમને સમજાવ્યા ત્યારે તે આ માટે સંમત થઈ ગઈ. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીઓથી પાર્ટી નેતૃત્વના અભાવમાંથી પસાર થઈ રહી છે.

પાર્ટીને સત્તામાં લાવે
પાર્ટીના ટોચના નેતાઓએ સોનિયા ગાંધીને વિનંતી કરી કે મુશ્કેલ સમયમાં પાર્ટીને સંભાળીને ફરી એક વખત પાર્ટીને સત્તામાં લાવે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી આગામી દિવસોમાં ફરી એકવાર પાર્ટીની સમિતિ અને મહામંત્રીઓની ફેરબદલ કરશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પૂર્વી યુપીની કમાન પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યા છે, માનવામાં આવે છે કે તેમને આ પદ પરથી છૂટા કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોનિયા ગાંધીનું નામ આગળ લાવવામાં આવ્યું કારણ કે અન્ય કોઈ નેતાના નામ પર કોઈ સર્વસંમતિ બની શકી નથી. જે બાદ કોંગ્રેસની કાર્યકારી સમિતિએ સોનિયા ગાંધીના નામની દરખાસ્ત કરી હતી.

રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડીગ
સૂત્રોએ જણાવ્યું હતું કે વાસ્નિક, સિંધ્યા અને ખડગેનાં નામ ચર્ચા માટે આવ્યા હતા, પરંતુ પક્ષનાં બહુ ઓછા લોકો તેમના નામ પર સહમત થયાં. જે બાદ આ લોકોએ ફરી એકવાર સોનિયા ગાંધીને પાર્ટીની કમાન સંભાળવાનું કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન રાહુલ ગાંધી ફરીથી અધ્યક્ષ પદ પર નહીં રહેવાના નિર્ણય પર અડગ હતા. જે બાદ અહેમદ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પાર્ટીનો હવાલો સંભાળવા જણાવ્યું હતું. તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ જ્યારે પાર્ટી છોડી ત્યારે સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડી હતી.












Click it and Unblock the Notifications
