સુભાષ ચંદ્ર બોઝના વંશજો શા માટે નરેન્દ્ર મોદીને મળ્યા?

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી તેમને ખૂબ ભાવપૂર્વક મળ્યા હતા. તેમણે સુભાષ બાબુના પરિવારજનોની અરજીને સ્વીકારી હતી અને તેમને મદદ કરવાનો ભરોસો પણ આપ્યો હતો. પાછલા સપ્તાહે નરેન્દ્ર મોદી દિલ્હી બાદ પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા. તે દરમિયાન આ મુલાકાત ગોઠવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ 9 એપ્રિલના રોજ મુલાકાત ગોઠવી હતી.
તેમના સંબંધીઓ સાથેની મુલાકાત બાદ નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી અરજીમાં લખ્યું છે કે "નેતાજી સમગ્ર રાષ્ટ્રના હતા. આ કારણે અમે આપને પ્રધાનમંત્રી સમક્ષ માંગ કરવાની અપીલ કરીએ છીએ કે તેમના ભાગ્ય વિશે રહસ્ય જાણવાની અને તે સંદર્ભમાં તેનો અંત લાવવાની મદદ કરવા માટે તમામ દસ્તાવેજોને જાહેર ડોમેનમાં રજૂ કરવા જોઇએ."
વાસ્તવમાં મુદ્દો એ છે કે નેતાજીના પરિવારમાં તેમની મોત ક્યારે થઇ છે અને ક્યાં થઇ છે તે મુદ્દાને લઇને બે ધારણા છે. નેતાજીના પુત્રી ગણાતા અનીતા બોઝ સતત એ બાબતને કહેતા આવ્યા છે કે સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ 1945માં એક હવાઇ દુર્ઘટનામાં થયું હતું.
વર્તમાનમાં અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે સરકારને એ બાબતની ફેર તપાસ કરવા જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં 1970 અને 1980ના દાયકામાં થઇ ગયેલા ગુમનામી બાબાને સુભાષ ચંદ્ર બોઝ શા માટે કહેવામાં આવે છે.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મોટા ભાઇના વંશજ આ બાબત સાથે સંબંધ ધરાવે છે. અને ઇચ્છે છે કે નેતાજી અંગે તેમના પરિવારના પ્રવક્તા ચંદ્ર બોઝ, જે શરત ચંદ્ર બોઝના પૌત્ર છે તે મોદીને મળવા પહોંચ્યા હતા અને પરિવારજનો લિખિત પત્ર સોંપ્યો હતો.
આ પત્રમાં હસ્તાક્ષર કરનારી વ્યક્તિઓમાં પૂર્વ સાંસદ અને શરત ચંદ્ર બોઝના પુત્ર સુબ્રતો બોઝ, રોમા રોય અને નેતાજીના પરિવારના કુલ 24 સભ્યો સામિલ છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
