Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફૂડ બિલ લાવવામાં સરકારે શા માટે ઉતાવળ કરીઃ જેટલી

arun-jaitely
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બરઃ રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અરૂણ જેટલીએ ફૂડ સિક્યરિટી બિલ પર કહ્યું છે કે, જ્યારે રાજ્યો પાસે કેન્દ્ર કરતા સારી નીતિ છે તો ફછી સરકારને ફૂડ સિક્યોરિટી બિલ લાવવામાં ઉતાવળ કરવાની જરૂર શા માટે હતી. તેમણે બિલ અનુસાર લાભાંવિત થનારા લોકોની સંખ્યા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા સાથે જ એ પણ પ્રશ્ન કર્યો કે જે રાજ્યોની સરકારોની સારી યોજના ચાલી રહે છે, એ રાજ્યોનું શું થશે?

જેટલીએ કહ્યું કે, ફૂડ સિક્યોરિટી હેઠળ કેન્દ્ર માત્ર લોકોને અનાજ આપશે, જ્યારે અનેક રાજ્યોમાં લોકોને અનાજની સાથોસાથ દાળ, ખાંડ અને મીઠું પણ આપવામાં આવી રહ્યું છે. તેવામાં જે રાજ્યો ગરીબોને ભોજન આપવાના મામલે સારું કરી રહ્યાં છે, તેમની યોજના ચાલું રહેશે કે બંધ થઇ જશે. સરકાર આ બિલને લાવવામાં આટલી બધી ઉતાવળ શા માટે કરી રહી હતી.

નોંધનીય છે કે, ફૂડ સિક્યોરિટી બિલ લોકસભામાં પારિત થઇ ગયું છે. આજે રાજ્યસભામાં ચર્ચા થઇ રહી છે. બીજી તરફ ફૂડ સિક્યોરિટી બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં હંગામો થવાના કારણે રાજ્યસભાની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X