ચિત્તાઓ માટે કૂનો નેશનલ પાર્ક જ કેમ પસંદ કરાયો, આ છે મહત્વના ફેક્ટ!
પૃથ્વી પર સૌથી ઝડપથી દોડતા પ્રાણી ચિત્તા 70 વર્ષ પહેલા ભારતમાંથી ગાયબ થઈ ગયા હતા, પરંતુ ઘણા વર્ષોની મહેનત અને સરકારના કરોડોના ખર્ચ બાદ 8 ચિત્તા દેશમાં આવ્યા છે.
નવી દિલ્હી : પૃથ્વી પર સૌથી ઝડપથી દોડતા પ્રાણી ચિત્તા 70 વર્ષ પહેલા ભારતમાંથી ગાયબ થઈ ગયા હતા, પરંતુ ઘણા વર્ષોની મહેનત અને સરકારના કરોડોના ખર્ચ બાદ 8 ચિત્તા દેશમાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં કુનો નેશનલ પાર્ક તેમનું નવું ઘર હશે. આ પાર્ક 748 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જેના કારણે ત્યાં ચિત્તાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વનવિભાગે મોટી સંખ્યામાં ચિતલોને તેમના ખોરાક માટે છોડ્યા છે, પરંતુ લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે અન્ય ઘણા પ્રખ્યાત વન્યજીવ અભયારણ્યો છે તો પછી ચિતાઓ માટે માત્ર કુનોની જ પસંદગી કેમ કરવામાં આવી?

કોઈ માનવ હસ્તક્ષેપ નહીં
દેશના મોટા ભાગના રાષ્ટ્રીય ઉદ્યાનોની મધ્યમાં જૂના ગામો આવેલા છે, જેના કારણે પ્રાણીઓ અને માણસો બંનેને તકલીફ પડે છે. કુનોમાં પણ 24 ગામો હતા, પરંતુ તેઓ લાંબા સમય પહેલા સંરક્ષિત વિસ્તારની હદની બહાર ખસેડવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ચિત્તાનો માણસ સાથે સામનો ઘણો ઓછો હશે. આ સિવાય કુનો શિકારની દૃષ્ટિએ પણ ખૂબ જ સુરક્ષિત વિસ્તાર છે.

સારી ભોજન વ્યવસ્થા
ચિત્તા સૌથી ઝડપી દોડતું પ્રાણી છે, પરંતુ તે મોટા પ્રાણીઓનો શિકાર કરતો નથી. તેનો મુખ્ય શિકાર ચિતલ, હરણ જેવા નાના પ્રાણીઓ છે. ખાસ વાત એ છે કે કુનોમાં ચિતલ અને હરણની વસ્તી ઘણી વધારે છે, તેથી ચિત્તાને ખવડાવવાની જરૂર રહેતી નથી. તેઓ સરળતાથી નાના પ્રાણીઓનો શિકાર કરશે.

સારી ભૌગોલિક સ્થિતી
જીવવિજ્ઞાનીઓના મતે ભારતમાં આવેલા ચિત્તાઓ માટે ઊંચાઈવાળા વિસ્તારો, દરિયાકાંઠાના અને ઉત્તરપૂર્વીય વિસ્તારો અનુકૂળ નથી. તેમના માટે મેદાનો યોગ્ય ગણાય છે. જેના કારણે એમપી, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને યુપીમાં 10 સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં એમપીનો કુનો નેશનલ પાર્ક તમામ અપેક્ષાઓ પર ખરો ઉતર્યો. હાલમાં, કુનોમાં 21 ચિતાઓ છે, પરંતુ જો યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં આવે તો મહત્તમ 36 ચિત્તા હોઈ શકે છે. આવી સ્થિતિમાં ચિત્તાઓનું નવું ઘર બનાવવા માટે સારી જગ્યા મળી છે.

દીપડાથી બચાવવા પડશે
કુનો નેશનલ પાર્કમાં વાઘ સારી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ તેમાં સૌથી વધુ દીપડાની વસ્તી છે. એક રિપોર્ટ અનુસાર, 100 ચોરસ કિલોમીટરમાં લગભગ 9 દીપડા જોવા મળે છે. વન નિષ્ણાતોના મતે, ચિત્તાની ગતિ સૌથી ઝડપી હોય છે, પરંતુ જ્યારે પણ તેઓ દીપડાનો સામનો કરે છે ત્યારે તેઓ નબળા પડી જાય છે. ઘણી વખત દીપડાઓ પણ ચિત્તા પર હુમલો કરતા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં ચિત્તાઓને તેમનાથી બચાવવાની જરૂર છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
