Rajasthan Congress political crisis : શું રાજસ્થાન કોંગ્રેસનું કોકડું ઉકેલશે પ્રશાંત કિશોર? જાણો પાયલટનો પ્લાન
Rajasthan Congress political crisis : રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટને કારણે રાજકારણમાં જોરદાર ગરમાવો આવી રહ્યો છે. સતત બળવાખોર વલણ બતાવતા પાયલનને પાર્ટી હાઇકમાન્ડનો સાથ મળી રહ્યો નથી. જોકે, આ વચ્ચે રાજનીતિના રણનીતિકાર પ્રશાંત કિશોરને રાજસ્થાનના રાજકારણમાં એન્ટ્રી થઇ છે.
આ વચ્ચે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, સચિન પાયલટની રાજનૈતિક સફરને સરળ કરવા માટે રણનીતિ તૈયાર કરવા માટે પ્રશાંત કિશોરને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે.

હવે સવાલ એ છે કે, જો પાયલટને પ્રશાંત કિશોરનું સમર્થન મળે તો પણ શું તે ગેહલોતને સાઇડલાઇન કરી શકશે. કારણ કે, સચિન પાયલટે રાજસ્થાનની ગેહલોત સરકાર પર ભાજપના કૌભાંડો સામે તપાસ ન કરવાને કારણે એક દિવસીય ધરણા પણ કર્યા હતા, પરંતુ પાર્ટી નેતૃત્વએ તેમના પગલાનો વિરોધ કરતા સ્પષ્ટપણે તેમનો પક્ષ લીધો હતો.
આ પ્રસંગે પણ કોંગ્રેસ પાર્ટી અશોક ગેહલોતની સાથે ઉભી રહી હતી. પાર્ટીએ ગેહલોતના કામની ખૂબ પ્રશંસા કરી હતી અને પ્રદેશ કોંગ્રેસના પ્રભારીએ તો સચિન પાયલટના પક્ષ વિરુદ્ધની ગતિવિધિઓમાંના પગલાંને સામેલ કરવાની વાત પણ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ હાઈકમાન્ડે સ્પષ્ટ કર્યું કે, આ વર્ષના અંતમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સચિન પાયલટના નેતૃત્વમાં લડવામાં આવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરને સચિન પાયલટ માટે ચૂંટણીની પિચ તૈયાર કરવાની જવાબદારી મળી છે. હવે સવાલ એ છે કે, પાયલટ પ્રશાંત કિશોરનો ઉપયોગ કેવી રીતે કરશે? શું તે ગેહલોત સામે રણનીતિ તૈયાર કરશે? કે પછી તે ત્રીજો મોરચો બનાવીને રાજસ્થાનના રાજકારણમાં ઉથલપાથલ મચાવી શકે છે?
આ વચ્ચે આમ આદમી પાર્ટી પણ વહેતી ગંગામાં હાથ ધોવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, સચિન પાયલટ ધરણા પર બેઠા પછી, આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા સચિન પાયલટને સમર્થન આપ્યું હતું. જોકે, સચિન પાયલટ ત્રીજા મોરચા તરફ જવાની શક્યતા પણ ઓછી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
