For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાલાકોટ એરસ્ટ્રાઈકના રીયલ હીરો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન 'વીર ચક્ર'થી સમ્માનિત

બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીર ચક્રથી સમ્માનિત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'વીર ચક્ર'થી સમ્માનિત કર્યા. દેશના આ રીયલ હીરોને આજે રાષ્ટ્રપતિએ એક સમારંભમાં વીર ચક્રથી સમ્માનિત કર્યા. તમને જણાવી દઈએ કે પુલવામાં હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઈક કરી હતી. જેના પર પાકિસ્તાની લડાકુ વિમાને ઈન્ડિયન બૉર્ડર માં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના મનસૂબાને કચડી દીધો હતો ભારતના વીર અભિનંદન વર્ધમાને. તેમણે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યુ હતુ.

અભિનંદન વર્ધમાનને આજે મળશે 'વીર ચક્ર'

અભિનંદન વર્ધમાનને આજે મળશે 'વીર ચક્ર'

જો કે, આમ કરવા પર તેમનુ વિમાન પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયુ હતુ અને તે પીઓકેમાં જઈ પડ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમને બંદી બનાવી લીધા હતા. જો કે ભારત અને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપના કારણે પાક સેના તેમનો વાળ પણ વાંકો કરી શકી નહોતી અને તેમને મુક્ત કરી દીધા હતા.

તોડી પાડ્યુ હતુ પાકિસ્તાની ફાઈટર પ્લેન

તોડી પાડ્યુ હતુ પાકિસ્તાની ફાઈટર પ્લેન

તેમની આ વીરતા માટે ભારત સરકારે તેમને વીર ચક્ર આપવાનો નિર્ણય કર્યો. તે આ પહેલા શૌર્ય ચક્રથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. અભિનંદન શ્રીનગદરના 51 સ્કવૉડ્રનનો હિસ્સો રહ્યા છે. હાલમાં જ તેમનુ પ્રમોશન પણ થયુ હતુ. તેઓ વાયુસેનાએ તેમને ગ્રુપ કેપ્ટન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ કેપ્ટન ઈન્ડિયન નેવીના કર્નલ સમાન હોય છે.

40 ભારતીય જવાન શહીદ

40 ભારતીય જવાન શહીદ

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 40 ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા. હુમલાની જવાબદારી મસૂદ અઝહરના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલા બાદ ઈન્ડિયન ફોર્સે એર સ્ટ્રાઈક કરી હતી. તેમણે એલઓસી પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે)ના બધા આતંકી સંગઠનને નષ્ટ કરી દીધા હતા.

શું હોય છે 'વીર ચક્ર'

શું હોય છે 'વીર ચક્ર'

તમને જણાવી દઈએ કે વીર ચક્ર ભારતમાં યુદ્ધના સમયે અપાતુ ત્રીજુ સર્વોચ્ચ સમ્માન છે. આ સમ્માન સૈનિકોને અસાધારણ વીરતા કે ત્યાગ માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. ક્રમ મુજબ તે મહાવીર ચક્ર પછી આવે છે. આ પદક ભારત માતાની સેવા કરનારા એ વીરોને આપવામાં આવે છે જે પોતાના જીવની પરવા ન કરીને પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર રહે છે. આ મેડલ સિલ્વરનો બનેલો હોય છે. તેને વાદળી અને નારંગી રંગની લેસ સાથે આપવામાં આવે છે.

English summary
Wing Commander Abhinandan Varthaman to be awarded the Vir Chakra today by President Ram Nath Kovind
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X