શિયાળુ સત્ર બાદ UPA સરકાર ધરાશાયી થઇ જશે: શરદ યાદવ

sharad-yadav
નવી દિલ્હી, 29 ઑક્ટોબર: દેશના વડાપ્રધાન મનમોહન સિંહે ફરી એકવાર પોતાના કેબિનેટના ચહેરા બદલ્યાં છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતની સેના સારું પરિણામ આવશે. આ તરફ કોંગ્રેસ ઉમંગના મૂડમાં છે ત્યારે વિરોધી દળ આ બાબતે મનમોહનસિંહની ટીકા કરી રહ્યો છે.

જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે વડાપ્રધાનની સેનાને સામાન્ય ગણાવતાં જાહેરાત કરી હતી કે આ વખતનું શિયાળું સત્ર યૂપીએ સરકારનું અંતિમ સત્ર હશે કારણ કે દેશમાં હવે વચગાળાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે.

સરકારની તાનાશાહીથી પરેશાન જનતા જ નહી પરંતુ યૂપીએ સરકારના સહયોગી દળો વચગાળાની ચૂંટણી માટે તૈયાર છે. બસ શિયાળા સત્રની રાહ જુઓ. શરદ યાદવે કહ્યું હતું કે યૂપીએ સરકાર ધરાશય થવાની હશે તો અમે જરૂર ધક્કો મારીશું.

અત્રે ઉલ્લેખનીય છે વડાપ્રધાને રવિવારે પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યા બાદ કહ્યું હતું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકારના સિપાહી પહેલાં કરતાં સારું કામ કરશે. તેમને લાગે છે કે 2014ની સામાન્ય ચૂંટણી યોજાશે પરંતુ આવનાર દિવસો સરકાર માટે પડકારરૂપ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X