મહિલાંઓ લક્ષ્મણ રેખા ના ઓળંગેઃ વિજયવર્ગીય

મધ્યપ્રદેશના ઉદ્યોગમંત્રી કૈલાશ વિજયવર્ગીયના મતાનુસાર, એક જ શબ્દ છે મર્યાદા. મર્યાદાનું ઉલ્લઘંન થાય તો સીતા હરણ થાય છે. લક્ષ્મણ રેખા દરેક વ્યક્તિની ખેંચવામાં આવી છે. એ લક્ષ્મણ રખાને જો કોઇ ઓળંગસે તો સામે રાવણ બેસેલો છે, જે સીતાનું હરણ કરીને તેને લઇ જશે.
કૈલાશ વિજયવર્ગીયે એક નિવેદનથી સીતાથી લઇને આજની મહિલાંઓ પર જે ટિપ્પણી કરી છે, તેને લઇને મધ્યપ્રદેશ વિધાનસભાના વિપક્ષી નેતા અજય સિંહે તેમને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગણી કરી છે. નોંધનીય છે કે સરકારી આંકડાઓ અનુસાર મહિલાંઓ પર થતાં અત્યાચારમાં મધ્યપ્રદેશ ટોચ પર છે. તેવામાં મધ્યપ્રદેશના એના એક કેબિનેટ મંત્રીના નિવદેનની આકરી ટીકા થઇ રહી છે.












Click it and Unblock the Notifications
