સબરીમાલા મંદિરમાં મહિલા પ્રવેશના વિરોધમાં ‘કેરળ બંધ' થી RSS એ અંતર જાળવ્યુ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સબરીમાલા મંદિરના દરવાજા મહિલાઓ માટે ખોલવાની માંગ સામે કેરળમાં અપાયેલા બંધથી પોતાનું અંતર જાળવ્યુ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સબરીમાલા મંદિરના દરવાજા મહિલાઓ માટે ખોલવાની માંગ સામે કેરળમાં અપાયેલા બંધથી પોતાનું અંતર જાળવ્યુ છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સામે અયપ્પા સેનાએ સોમવારે કેરળ બંધનું આહવાન કર્યુ છે. આરએસએસ નેતા પી ગોપાલનકુટ્ટી માસ્ટરે કહ્યુ કે અયપ્પા સેનાને આરએસએસનો હિસ્સો સમજવાની ગેરસમજના કારણે આવો નિર્ણય કરવો પડ્યો છે.

પી ગોપાલનકુટ્ટી માસ્ટરે કહ્યુ કે સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને મુદ્દો એવો નથી કે જેના માટે રસ્તા પર ઉતરવાની જરૂર પડે. આરએસએસને આશા છે કે સબરીમાલા મંદિરને દરેક ઉંમરની મહિલા માટે ખોલતા પહેલા સુપ્રિમ કોર્ટ આસ્થા અને પરંપરાઓનું ધ્યાન રાખશે. વળી, આરએસએસ ઉપરાંત બીજા ઘણા સંગઠનોએ પણ આ બંધથી અંતર જાળવ્યુ છે જેમાં નાયર સર્વિસ સોસાયટી અને એસએનડીપી પણ શામેલ છે.
બંધ અંગે કેરળ સરકારે કહ્યુ છે કે તે કાયદો-વ્યવસ્થા પોતાના હાથમાં લેનારા સામે કડક પગલાં લેશે. સુપ્રિમ કોર્ટમાં મહિલાઓના પ્રવેશના અધિકાર મામલે સુનાવણી ચાલી રહી છે. જેના પર ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં 5 સભ્યોની બેંચ જલ્દી પોતાનો ચૂકાદો સંભળાવી શકે છે. તમને જણાવી દઈએ કે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓને માત્ર પંબા સુધી જ જવાની પરવાનગી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
