Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત બાંગ્લાદેશ વચ્ચે નવા રેલમાર્ગના નિર્માણકાર્યને મળી લીલીઝંડી

train
અગરતલા, 5 જૂલાઇ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિપુરા થઇને નવા રેલમાર્ગનું નિર્માણકાર્ય આ વર્ષે શરૂ થશે. અહીં શુક્રવારે આ જાણકારી બંને દેશોના અધિકારીઓએ આપી હતી. 15 કિલોમીટરનો આ માર્ગ ત્રિપુરાની રાજધાની અગરતલા અને બાંગ્લાદેશના દક્ષિણવર્તી શહેર અખૌરાને જોડશે. અખૌરા એક મોટું જંકશન છે, જે ચટગાંવ, બંદરગાહ, સંસાધન સમૃદ્ધ સિલહટ અને ઢાકા સાથે જોડાયેલ છે.

બાંગ્લાદેશના બ્રાહ્મણબરિયા જિલ્લાના ઉપાયુક્ત નૂર મોહંમદ મજુમદેરે સંવાદદાતાઓને કહ્યું હતું કે જરૂરી સર્વેક્ષણનું કામ પુરૂ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશની યોજના આયોગની મંજૂરની રાહ જોવામાં આવી રહી છે. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે માર્ગનું નિર્માણ કાર્ય આ વર્ષના અંત સુધી ચાલુ થઇ જશે.

ભારતીય અધિકારીઓ સાથે બે દિવસીય બેઠક બાદ મજુમદેરે કહ્યું હતું કે જમીન સંપાદનનું કામ ચાલુ છે અને કામ કરવા માટે જરૂરી નિવિદા જલદી જ રજૂ કરવામાં આવશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની જાન્યુઆરી 2010માં ભારત યાત્રા દરમિયાન તેમના અને વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચે થયેલા એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉત્તરી સીમાંત રેલવેના એક અધિકારીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે પરિયોજના પર કુલ 252 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X