દુનિયાનું પેટ ભરવા માટે ખેડૂતોના ખિસ્સા ભરવા પણ જરૂરી: મોદી

તેમણે કહ્યું કે ડિમાંડ અનુસાર સપ્લાઇ ઓછી છે એટલા માટે આ પડકારનો આપણે સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે માંગ વધે છે અને ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોમાં નવી ટેક્નોલોજીને લઇને વિશ્વાસ પેદા કરવો પડશે. તેમણે કહ્યું કે દુનિયાનું પેટ ભરાય પરંતુ ખેડૂતોના ખિસ્સા પણ ભરાવવા જરૂરી છે.
નરેન્દ્ર મોદીએ ઓછી જમીનમાં વધુ ઉપજ પર ભાર મુક્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઈસીએઆર 86 વર્ષનું થઇ ગયું. પરંતુ જે આપણે 86 વર્ષમાં કરી શક્યા નથી હવે તે આપણે 14 વર્ષમાં કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈજ્ઞાનિકોના રિસર્ચનો ઉચિત ઉપયોગ જરૂરી છે. તેમણે કહ્યું કે ભારતીય ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારને સન્માન કરવું જરૂરી છે. તેમણે પાણીને પરમાત્માનો પ્રસાદ ગણાવતાં તેની બરબાદી ન કરવા અને સંભાળીને વાપરવા પર ભાર મૂક્યો.












Click it and Unblock the Notifications
