‘ખોટા આંકડાઓથી દેશને ભરમાવી રહી છે મોદી સરકાર': યશવંત સિન્હા
ભાજપ છોડી ચૂકેલા યશવંત સિન્હાએ ફરીથી એક વાર મોદી સરકાર પર હુમલો કર્યો છે. યશવંત સિન્હાએ કહ્યુ કે મોદી સરકારે દેશને ગુમરાહ કરવાનું કામ કર્યુ છે.
ભાજપ છોડી ચૂકેલા યશવંત સિન્હાએ ફરીથી એક વાર મોદી સરકાર પર હુમલો કર્યો છે. યશવંત સિન્હાએ કહ્યુ કે મોદી સરકારે દેશને ગુમરાહ કરવાનું કામ કર્યુ છે. તેમણે રૂપિયાના ઘટાડા અંગે પણ મોદી સરકારને આડા હાથે લીધા. યશવંત સિન્હાએ કહ્યુ કે મોદી સરકાર ખોટા આંકડાઓ દ્વ્રારા દેશને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે.

યશવંત સિન્હાએ કહ્યુ કે લાખો કરોડ રૂપિયા રોકાણકારોએ કાઢી લીધા છે અને આ ચિંતાની વાત છે. તેમણે કહ્યુ કે આ પહેલા યુપીએ સરકારમાં વર્ષ 2013 દરમિયાન રૂપિયામાં ઘટાડો આવ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે રૂપિયા આઈસીયુમાં જતા રહ્યા છે. પરંતુ આજે રૂપિયો ડૉલરના મુકાબલે 75 ની નજીક પહોંચી જવા છતાં પણ ચૂપ છે.
ગુજરાતમાં યુપી-બિહારના લોકો પર હુમલાની ઘટના પર પણ તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે ગુજરાતની ભાજપ સરકારે હિંદી ભાષી શ્રમિકો પર થઈ રહેલા હુમલાને રોકવા માટે ઠોસ પગલાં લેવા જોઈતા હતા. તેમણે કહ્યુ કે કોઈ એક વ્યક્તિના ગુના માટે સમગ્ર સમાજને જવાબદાર ગણી શકાય નહિ. તેમણે કહ્યુ કે કાયદો વ્યવસ્થા સંભાળવી રાજ્ય સરકારનું કામ છે અને હુમલા બાદ પ્રવાસીઓને સુરક્ષા આપવી જોઈતી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
